________________
શંકા-સમાધાન
૪૮૯
છોકરીને પોતાને ભલે ખ્યાલમાં આવતું ન હોય, પણ અદશ્યપણે એના મનમાં પુરુષત્વનો ભાવ પ્રગટતો હોય છે. આ ભાવ ધીમે ધીમે તેના લજ્જાગુણનો નાશ કરે છે. છોકરાનો વેશ પહેરતી મોટી ઉંમરની છોકરી અનેકના માનસિક વિકારોનું કારણ બનતી હોય છે. છોકરાનો વેશ પહેરતી મોટી ઉંમરની છોકરી અનેકના માનસિક વિકારોનું કારણ કેમ બને છે એ અંગે જાહેરમાં વિવેચન કરવું એ યોગ્ય ન હોવાથી અહીં એ વિશે વિશેષ કશું લખવું ઉચિત નથી.
આજે ખરી હકીકત એ છે કે મોટા ભાગના જૈનો જૈન કુળમાં જન્મ થવા આદિથી જૈન છે, જૈનત્વના સંસ્કારોથી જૈન નથી. જૈનત્વના સંસ્કારોથી સંસ્કારિત જૈન કુટુંબોમાં આવો વેશ પ્રવેશી શકે નહિ. સાચો જૈન દુનિયા જીવે તેમ ન જીવે, કિન્તુ જિનાજ્ઞા મુજબ જીવે. સાચા જૈનોમાં રહેણી-કરણી, ખાન-પાન, પહેરવેશ વગેરેમાં જિનાજ્ઞાની છાંટ દેખાતી હોય. સાચો જૈન જગત શું કરે છે તે ન જુએ, કિન્તુ જિનાજ્ઞા શું છે તે જુએ.
આજે જયારે જૈનોમાં પણ મર્યાદાહીન વેશ પરિધાન વધી રહ્યું છે ત્યારે વ્યાખ્યાન વગેરેમાં મર્યાદામાં રહીને આ વિષે ટકોર કરવાનું સાધુઓ માટે અનિવાર્ય બની જાય છે તથા ધર્મસ્થાનોના ટ્રસ્ટીઓએ આગેવાનોએ સ્ત્રીઓ-યુવતીઓ મર્યાદારહિત વેશ પરિધાન કરીને ધર્મસ્થાનોમાં ન આવે એ માટે પૂ. ગીતાર્થ ગુરુભગવંતોની સલાહ લઈને ઉચિત કરવું જરૂરી ગણાય. આવી ગંભીર બાબતમાં સમર્થ ગીતાર્થ ગુરુભગવંતો અને શ્રદ્ધાસંપન્ન શ્રાવકો ચુપકીદી સેવે તે જૈનશાસન માટે અહિતકર છે.
શંકા- ૧૦૭૩. સ્ત્રીથી પુરુષવેશ પહેરી શકાય? પુરુષવેશમાં સ્ત્રી દર્શન, પૂજન, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કરી શકે ? દેરાસર-ઉપાશ્રયમાં જઈ શકે ?
સમાધાન- સ્ત્રીથી પુરુષનો વેશ પહેરી શકાય નહિ. તો પછી પુરુષવેશમાં સ્ત્રી દર્શન, પૂજન, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કેવી રીતે કરી શકે ? દેરાસર-ઉપાશ્રયમાં કેવી રીતે જઈ શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org