________________
શંકા-સમાધાન
४८७
ઉજ્જઈ સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૬૭. ઉજ્જઈ ક્યારે ગણાય ? સમાધાન– લાઇટનો સીધો પ્રકાશ આપણા શરીર ઉપર પડતો હોય તો ઉજજઈ ગણાય. પ્રભા પડતી હોય તો ન ગણાય. દૂર છે કે નજીક છે એ મહત્ત્વનું નથી. આપણા શરીર ઉપર પ્રકાશ પડે છે કે નહિ તે મહત્ત્વનું છે. નજીક હોય તો પણ જો લાઇટ અત્યંત ઝાંખી હોય તો આપણા શરીર ઉપર પ્રકાશ ન પડે. દૂર હોય તો પણ જો લાઇટ અત્યંત તેજવાળી હોય તો આપણા શરીર ઉપર પ્રકાશ પડે.
પારદર્શક એકદમ જાડો કાચ હોય તો તેમાંથી આવતા પ્રકાશની ઉજ્જઈ ન ગણાય. જીરો નંબરનો બલ્બ હોય કે જીરો નંબરની ટ્યુબ હોય તો પણ જો પ્રકાશ તેજવાળો હોય તો ઉજ્જઈ ગણાય. પ્રકાશ ઝાંખો હોય તો ઉજ્જઈ ન ગણાય.
ડેકોરેશન લાઇટમાં પણ આપણા શરીર ઉપર સીધો પ્રકાશ પડે તો ઉજ્જઈ ગણાય. પણ દૂર હોય અને એથી આપણા શરીર ઉપર પ્રકાશ ન પડતો હોય તો ઉજ્જઈ ન ગણાય.
શંકા- ૧૦૬૮. રાતે શરીર ઉપર ઉજ્જઈ ન પડે એ માટે બારીઓ બંધ કરવામાં આવે છે કે પડદા કરવામાં આવે છે. બારીઓ કે પડદા આપણા શરીર કરતા વધારે કડક હોય છે. આથી તેમ કરવામાં તેઉકાયના જીવોને વધુ કિલામણા ન થાય ?
સમાધાન- જેમ વરસાદ પડતો હોય ત્યાં સાધુ ઊભા રહે તો વરસાદના છાંટા સાધુના શરીર ઉપર પડે અને સાધુ મકાનમાં આવી જાય તો જમીન ઉપર પડે. શરીર કરતાં જમીન વધારે કડક હોય છે. છતાં સાધુથી વરસાદમાં ઊભા ન રહેવાય. તે પ્રમાણે સાધુથી ઉજ્જહિમાં ઊભા ન રહેવાય. કારણ કે ઉજ્જહિમાં ઊભા રહેવાથી સાધુનું શરીર તેઉકાયની વિરાધનામાં નિમિત્ત બને છે. બારી બંધ કરવાથી કે પડદો કરવાથી તેઉકાયની વિરાધનામાં સાધુનું શરીર નિમિત્ત બનતું નથી. જગતના સર્વ જીવો એક યા બીજી રીતે દુઃખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org