SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ શંકા-સમાધાન એકલી શ્રાવિકાએ સાધુ ભગવંતો પાસે ક્યારે પણ ન જવું જોઈએ. સાધુ ભગવંતોની પાસે નિષ્કારણ વધારે વાતો પણ ન કરવી જોઇએ અને બેસવું પણ ન જોઈએ. પણ આજે કોઈ કોઈ વખત શ્રાવિકાઓ એકલી આવે અને સાધુની સાથે ઘણીવાર વાતો કરતી હોય, એવું જોવા મળે છે. આ જરાય બરાબર નથી. કોઈ કોઈ વખત તો ક્યાંક ક્યાંક વડીલો પોતે એકલી સ્ત્રીની સાથે ઘણા સમય સુધી વાતો કરતા હોય, એવું પણ જોવા મળે છે. આવા વડીલો પણ પોતાના શિષ્યોને એકલી સ્ત્રીઓની સાથે વાતો ન કરાય, એવી હિતશિક્ષા કેવી રીતે આપી શકે ? અને આપે તો પણ પરોપશે પણ્ડિત્ય જેવું જ ના ગણાય? મારી દષ્ટિએ તો દરેક ઉપાશ્રયમાં એકલી સ્ત્રીએ સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં ન આવવું, એવું બોર્ડ મૂકવું જોઇએ. જો કે કોઈ કોઈ શ્રાવિકા આવા બોર્ડની ઐસી તૈસી કરીને સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં જતી હોય, એવું જોવા મળે છે. આમ છતાં બોર્ડ મૂકવાથી લાભ અવશ્ય થાય. એકલી સ્ત્રી સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં જાય, એમાં બાહ્ય રીતે કોઈ નુકસાન ન થાય, તો ય જિનાજ્ઞા ભંગ રૂપ દોષ અવશ્ય લાગે. ઉપર કહ્યું તેમ જિનાજ્ઞાની આરાધનાથી મોક્ષ છે અને જિનાજ્ઞાની વિરાધનાથી સંસાર છે, એ ઉપદેશને આપણે કોઈએ ન જ ભૂલવો જોઈએ. શંકા- ૧૦૬૬. અત્યારે શ્રાવક ઉપાશ્રયમાં પણ મોબાઈલ ચાલુ રાખીને આવે અને એના દ્વારા સાંસારિક વાતો કરે છે. આ અંગે શું કરી શકાય ? સમાધાન– ઉપાશ્રયના મુખ્ય દ્વાર પાસે નીચે પ્રમાણે ટ્રસ્ટીઓ બોર્ડ મૂકી શકે. “મોબાઇલ ઓફ (બંધ) કરીને ઉપાશ્રયમાં પ્રવેશ કરવા વિનંતી.” કદાચ ધાર્મિક કામ માટે ઉપાશ્રયમાં મોબાઇલનો ઉપયોગ કરવો પડે તો પણ સાંસારિક વાતો તો ન જ કરવી. ઉપાશ્રયમાં સાંસારિક વાતો કરવાથી પાપકર્મ બંધાય. તદુપરાંત સાધુ ભગવંતો વ્યાખ્યાનમાં કે વ્યક્તિગત રીતે સમજાવતા રહે તો યોગ્ય આત્માઓ આ પાપથી જરૂર બચી જાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy