________________
४८४
શંકા-સમાધાન
સમાધાન- સાધુ-સાધ્વીજીઓથી કેવા સ્થાનમાં રહેવાય અને કેવા સ્થાનમાં ન રહેવાય તેનું વિસ્તારથી વર્ણન બૃહકલ્પસૂત્ર વગેરે શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. આ વર્ણન પ્રમાણે ઉપાશ્રય-વાડી ઉપર-નીચે હોય કે તદ્દન બાજુમાં હોય તો ત્યાં સાધુ-સાધ્વીઓ રહી શકે નહિ. તેવા સ્થાનમાં બ્રહ્મચર્ય વિરાધના વગેરે દોષોની સંભાવના છે. જ્યાં દોષોની સંભાવના હોય તેવા સ્થાનમાં સાધુ-સાધ્વીજીથી રહી ન શકાય. તેવી રીતે સાધુ-સાધ્વીજીના ઉપાશ્રયો તદ્દન નજીકમાં હોય કે ઉપર-નીચે હોય તે પણ ઉચિત નથી.
શંકા- ૧૦૬૩. નવો ઉપાશ્રય બનાવવો હોય, નીચે દુકાન હોય અને ઉપર ઉપાશ્રય હોય તો કંઈ વાંધો ખરો ? ભવિષ્યમાં આવક થશે એવું સૂચન ઉપાશ્રય નિભાવવા માટે સાધુ કરી શકે ?
સમાધાન- ઉપાશ્રયમાં જવા-આવવાનો રસ્તો કેવો છે, આજુબાજુનું સ્થાન કેવું છે ઇત્યાદિ જોયા-જાણ્યા વિના આ પ્રશ્નનો જવાબ આપી શકાય નહિ. સંયમમાં બાધા પહોંચે તેવું ન હોય તો વાંધો ન ગણાય. ઉપાશ્રયને નિભાવવા ભવિષ્યમાં આવક થશે, માટે ઉપાશ્રયની નીચે દુકાન રાખો એમ સાધુથી સૂચન કરી શકાય નહિ.
શંકા- ૧૦૬૪. ઉપાશ્રયમાં જ ઓરડી બનાવીને પૂજારી વગેરેને રાખી શકાય ?
સમાધાન ન રાખી શકાય. કેમકે ઉપાશ્રય ધર્મ કાર્યો માટે છે, સાંસારિક કાર્યો માટે નથી.
શંકા- ૧૦૬૫. સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં સાધ્વીજીઓ અને શ્રાવિકાઓ માટે શી મર્યાદા છે ?
સમાધાન- આવો પ્રશ્ન કરવા બદલ આનંદ ! આજે આવું જાણવાની ઇચ્છાવાળા શ્રાવકો બહુ અલ્પ હોય છે. સાધ્વીજીઓએ સાધુના ઉપાશ્રયમાં મુખ્યપણે મહિનાની પાંચ મોટી (પર્વ) તિથિએ અને વાંચના હોય, તો વાચનાના સમયે આવવાનું શાસ્ત્રમાં વિધાન છે. આ સિવાય સાધ્વીજીઓને સાધુ ભગવંતના ઉપાશ્રયમાં આવવાનું વિધાન નથી. આમ છતાં આજે સાધ્વીજી ભગવંતો સવારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org