SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ શંકા-સમાધાન સમાધાન- સાધુ-સાધ્વીજીઓથી કેવા સ્થાનમાં રહેવાય અને કેવા સ્થાનમાં ન રહેવાય તેનું વિસ્તારથી વર્ણન બૃહકલ્પસૂત્ર વગેરે શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. આ વર્ણન પ્રમાણે ઉપાશ્રય-વાડી ઉપર-નીચે હોય કે તદ્દન બાજુમાં હોય તો ત્યાં સાધુ-સાધ્વીઓ રહી શકે નહિ. તેવા સ્થાનમાં બ્રહ્મચર્ય વિરાધના વગેરે દોષોની સંભાવના છે. જ્યાં દોષોની સંભાવના હોય તેવા સ્થાનમાં સાધુ-સાધ્વીજીથી રહી ન શકાય. તેવી રીતે સાધુ-સાધ્વીજીના ઉપાશ્રયો તદ્દન નજીકમાં હોય કે ઉપર-નીચે હોય તે પણ ઉચિત નથી. શંકા- ૧૦૬૩. નવો ઉપાશ્રય બનાવવો હોય, નીચે દુકાન હોય અને ઉપર ઉપાશ્રય હોય તો કંઈ વાંધો ખરો ? ભવિષ્યમાં આવક થશે એવું સૂચન ઉપાશ્રય નિભાવવા માટે સાધુ કરી શકે ? સમાધાન- ઉપાશ્રયમાં જવા-આવવાનો રસ્તો કેવો છે, આજુબાજુનું સ્થાન કેવું છે ઇત્યાદિ જોયા-જાણ્યા વિના આ પ્રશ્નનો જવાબ આપી શકાય નહિ. સંયમમાં બાધા પહોંચે તેવું ન હોય તો વાંધો ન ગણાય. ઉપાશ્રયને નિભાવવા ભવિષ્યમાં આવક થશે, માટે ઉપાશ્રયની નીચે દુકાન રાખો એમ સાધુથી સૂચન કરી શકાય નહિ. શંકા- ૧૦૬૪. ઉપાશ્રયમાં જ ઓરડી બનાવીને પૂજારી વગેરેને રાખી શકાય ? સમાધાન ન રાખી શકાય. કેમકે ઉપાશ્રય ધર્મ કાર્યો માટે છે, સાંસારિક કાર્યો માટે નથી. શંકા- ૧૦૬૫. સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં સાધ્વીજીઓ અને શ્રાવિકાઓ માટે શી મર્યાદા છે ? સમાધાન- આવો પ્રશ્ન કરવા બદલ આનંદ ! આજે આવું જાણવાની ઇચ્છાવાળા શ્રાવકો બહુ અલ્પ હોય છે. સાધ્વીજીઓએ સાધુના ઉપાશ્રયમાં મુખ્યપણે મહિનાની પાંચ મોટી (પર્વ) તિથિએ અને વાંચના હોય, તો વાચનાના સમયે આવવાનું શાસ્ત્રમાં વિધાન છે. આ સિવાય સાધ્વીજીઓને સાધુ ભગવંતના ઉપાશ્રયમાં આવવાનું વિધાન નથી. આમ છતાં આજે સાધ્વીજી ભગવંતો સવારે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy