________________
શંકા-સમાધાન
૪૮૩
સમાધાન- આવા ઉપાશ્રયોમાં સાધુઓથી કે સાધ્વીજીઓથી રહી શકાય નહિ. આ વિષે પંચવટુક ગ્રંથમાં કહ્યું છે કે, “જયાં સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ ન દેખાય, શબ્દો ન સંભળાય તથા સ્ત્રીઓ પણ પુરુષોનાં સ્થાન અને રૂપ ન જોઈ શકે અને શબ્દો ન સાંભળી શકે તેવી વસતિમાં સાધુ રહે. સ્ત્રીઓ જ્યાં બેસીને વાતો કરે તથા સૂવું-બેસવું વગેરે શરીરકાર્યો કરે તે તેઓનું સ્થાન છે.
જ્યાં સ્થાન હોય ત્યાં નિયમ રૂપ દેખાય. સ્થાન દૂર હોય તો કદાચ શબ્દ ન પણ સંભળાય, પણ રૂપ અવશ્ય દેખાય. આથી સ્થાન દેખાય તેવી વસતિનો ત્યાગ કરવો જોઈએ.”
આવા સ્થાનો રાગાદિનું કારણ બને તેવી ઘણી શક્યતા રહે છે. પ્રશ્નકાર લખે છે કે “જોકે રાગના કારણે આજ પર્યત કંઈ અઘટિત બનવા પામેલ નથી.” આ વિષે જણાવવાનું કે કંઈ અઘટિત બને કે ન બને, તો પણ જેનો જ્ઞાનીઓએ નિષેધ કર્યો હોય તેનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે કોઈ સ્ત્રી ઘરમાં સામાયિક લઇને બેસે ત્યારે તેનો બાર મહિનાનો નાનો બાબલો તેને અડે તો તે સ્ત્રીને કોઈ રાગ થવાનો નથી. છતાં જો બાળક અડે તો તે સ્ત્રીને પ્રાયશ્ચિત્ત આવે. કેમ કે ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો છે. આનાથી એ નિશ્ચિત થાય છે કે દોષ લાગે કે ન લાગે, પણ જેનાથી દોષ લાગવાની શક્યતા હોય-સંભાવના હોય તેનો ત્યાગ કરવો જોઇએ એવી જિનાજ્ઞા છે. ઉક્ત સ્થાનમાં ભલે આજ સુધી કંઈ અઘટિત ન બન્યું હોય, પણ એ સમજી લેવાની જરૂર છે કે જો ભવિષ્યમાં બનશે તો સંઘને નીચું જોવાનો પ્રસંગ આવશે અને શાસનની અપભ્રાજના થશે.
શંકા- ૧૦૬૨. નીચે વાડી હોય અને ઉપર ઉપાશ્રય બનાવ્યો હોય તો કોઈ વાંધો ખરો ? ઉપાશ્રયની બાજુમાં વાડી હોય અને એક બીજા (ઉપાશ્રય-વાડી)માં જઈ શકાય તેવા બારણા હોય તો કંઈ વાંધો ખરો ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org