________________
૪૮૨
શંકા-સમાધાન
જવાય. શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે ચાતુર્માસ સિવાય શેષ કાળમાં આઠ માસકલ્પ કરવાના છે. એથી જો છેલ્લો માસકલ્પ જ્યાં ચાતુર્માસ કરવાનું હોય, તેનાથી ૮-૧૦ કિ.મી.ના આંતરાવાળા સ્થાનમાં કરે, તો શાસ્ત્રીય વિધિ સચવાય અને વિરાધનાથી પણ બચી જવાય. શંકા- ૧૦૫૯. ચોમાસામાં સાધુઓ સક્રોશ યોજન (પાંચ ગાઉ) જઇ શકે એવો પાઠ કયા શાસ્ત્રમાં છે ?
સમાધાન– આવો પાઠ નિશીથ (ગા. ૩૧૬૨) વગેરે અનેક ગ્રંથોમાં છે. આ પાંચ ગાઉ જવા-આવવાના મળીને સમજવા. કેવળ જવામાં તો અઢી ગાઉની જ અનુજ્ઞા છે.
શંકા- ૧૦૬૦. ચોમાસામાં મુહપત્તિ પડિલેહણ કરી હોય, તો કેટલા કિ.મી. સુધી રાતના રોકાઇ શકાય ?
સમાધાન– જ્યાં ચોમાસી પ્રતિક્રમણ કર્યું હોય, ત્યાંથી ચારેબાજુ આઠ કિ.મી. જઇ શકાય અને જ્યાં મુહપત્તિનું પડિલેહણ કર્યું હોય ત્યાં રાત રહી શકાય. જ્યાં ચોમાસી મુહપત્તિનું પડિલેહણ ન કર્યું હોય, ત્યાં એ ક્ષેત્ર ૧ કિ.મી.ની અંદર હોય તો પણ ત્યાં રાત ન રહી શકાય. પણ જ્યાં ચોમાસી મુહપત્તિનું પડિલેહણ કર્યું હોય, ત્યાંથી જેટલા પણ કિ.મી. આગળ જાય, તો પણ રાત્રે મુહપત્તિ પડિલેહણ કરેલા સ્થાનમાં આવી જવું પડે.
ઉપાશ્રય સંબંધી શંકા-સમાધાન
શંકા- ૧૦૬૧. પુરુષોનો અને બહેનોનો ઉપાશ્રય સામસામે હોય, એટલે કે બારણાં-બારીઓ વગેરે બધું સામ-સામું હોય, અને તેનો મુખ્ય ઉપાશ્રય તરીકે ઉપયોગ થતો હોય, સાધુ-સાધ્વીઓ અને મુમુક્ષુઓ વગેરે આરાધના કરતા હોય તે યોગ્ય ગણાય ? આવું સ્થાન રાગનું કારણ બને તેવી શક્યતા રહે ? જો તેમ હોય તો શું કરવું ? જો કે રાગના કારણે આજ પર્યંત કંઇ પણ અઘટિત બનવા પામેલ નથી. પરંતુ સાવધાનીરૂપે શું કરવું ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org