SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ શંકા-સમાધાન ચારિત્રમાં નબળા હોય, તેવા સાધુઓના વિચારમાં અશુભ પરમાણુની તાકાતથી વિચારોમાં પરિવર્તન આવવાનો સંભવ રહે છે. પણ ઉત્તમ ચારિત્રસંપન્ન સાધુઓને એ પરમાણુઓની અસર ન થાય, બલકે એમની સાધનાથી એ સ્થાન પવિત્ર બની જાય. જેથી જ્યાં સુધી એની અસર રહે, ત્યાં સુધી એ સ્થાનમાં પ્રભુતા(!)માં પગલા માંડનારાઓને પણ વિચારો શુભ આવે. આવા સ્થાનોમાં વિવિધ પૂજનો ભણાવવાથી પણ એ સ્થાનો વધારે શુદ્ધ બને. પૂજનોમાં પ્રારંભમાં ભૂમિશુદ્ધિની વિધિ કરવામાં આવે છે. પૂર્વે એવા પણ પ્રસંગો બન્યા છે કે, જ્યાં સદા માંસાહાર થતો હોય, દારૂ પીવાતો હોય, જુગાર રમાતો હોય, તેવી પલ્લીમાં સાધુઓએ ચોમાસું કર્યું છે. જોકે આવા પ્રસંગો તેવા વિપરીત સંયોગો ઉપસ્થિત થવાના કારણે થયા છે. પણ અહીં એ જોવાનું છે કે આવા સ્થાનોમાં રહેવા છતાં ચારિત્રમાં કે અનુષ્ઠાનોમાં હાનિ થવા પામી ન હતી. કોઇ એમ કહે કે આવા પ્રસંગો તો બહુ જુના કાળના છે, તો વર્તમાનકાલીન પ્રસંગને વિચારીએ– સિદ્ધાંત મહોદધિ, બ્રહ્મનિષ્ઠ, ચારિત્ર ચૂડામણિ પૂજ્યપાદ સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ વિ.સં. ૨૦૧૦માં અહમદનગરમાં અને વિ.સં. ૨૦૧૧માં પૂનામાં જ્યાં લગ્ન વગેરે સાંસારિક કામો થતાં હોય અને અભક્ષ્યભક્ષણ થતું હોય તેવી વાડીમાં ચાતુર્માસ કર્યા છે. જો પ્રશ્નકારની દૃષ્ટિએ વાડીમાં ચાતુર્માસ કરવું અશાસ્ત્રીય હોય, તો તેમની દૃષ્ટિએ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પણ અશાસ્ત્રીય ચાતુર્માસ કર્યું ગણાય. પણ તેમ નથી. કારણવશાત્ અપવિત્ર સ્થાનમાં ધર્મ થાય, પણ ધર્મસ્થાનમાં અપવિત્ર કામ ન થાય. કોઇ કોઇ સ્થળે ધર્મસ્થાનોમાં સાંસારિક લગ્નાદિ કાર્યો થતા હોય છે. આ શું યોગ્ય છે ? દોષની દૃષ્ટિએ વિચારવામાં આવે, તો ઉપાશ્રયો મોટા ભાગે આધાકર્મ કે મિશ્રદોષથી યુક્ત હોય છે. જ્યારે ભાડે રાખેલી વાડી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy