SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૪૭૯ શંકા- ૧૦૫૬. માંસમાં કયા જીવોની ઉત્પત્તિ કહી છે ? સમાધાન– કાચા કે રાંધેલા માંસમાં નિગોદના સંમૂચ્છિમ અનંત જીવોની સતત ઉત્પત્તિ જણાવેલી છે અને તે જીવો એકેન્દ્રિય હોય છે. (યોગશાસ્ત્ર તૃતીય પ્રકાશ શ્લોક-૩૩) ચાતુર્માસ સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૫૭. આજે સાધુભગવંતોના ચાતુર્માસ માટેની વ્યવસ્થા વાડીઓ/હોલ ભાડે રાખીને કરાઇ રહી છે. જે માટે લાખો રૂપિયાનો વ્યય થઇ રહ્યો છે. આ વાડીઓ/હોલ અપવિત્ર-અશુદ્ધ જગ્યા હોય છે. જ્યાં અભક્ષ્ય વાનગીઓનો વપરાશ થયો છે. જ્યાં ઘણા યુગલોએ પ્રભુતા(!)માં પગલા માંડેલ છે. માટે સાધુ ભગવંતોએ તો ઉપાશ્રયમાં જ ચાતુર્માસ કરવું જોઇએ. નહીંતર ઉપાશ્રયો પાછળ લાખો રૂા.નો ખર્ચ શું કામ કરવો જોઇએ. આવી વાડીઓમાં આચારોનું પાલન થતું હોય, તે શંકા બની રહે છે. આવા સ્થાનોના પરમાણુની તાકાતથી વિચારોમાં પરિવર્તન આવી શકે છે. આ માટે એવી દલીલ કરાય છે કે લાભાનુલાભની દૃષ્ટિએ આ બરોબર છે. શું આ તદ્દન અયોગ્ય-અશાસ્ત્રીય દલીલ નથી ? આ બાબત આપનો શો અભિપ્રાય છે ? સમાધાન– કોઇ વિશેષ લાભની દૃષ્ટિથી કોઇએ ક્યારેક જ શ્રાવકો દ્વારા ભાડાથી રખાયેલ વાડીમાં ચાતુર્માસ કર્યું હોય, એ માટે “આજે સાધુભગવંતોના ચાતુર્માસ માટેની વ્યવસ્થા વાડીઓ-હોલ ભાડે રાખીને કરાઇ રહી છે.” એમ બોલવું-લખવું યોગ્ય નથી. જુદા જુદા સાધુઓએ અનેકવાર આ રીતે ચાતુર્માસ કર્યું હોય, તો આવું લખવું-બોલવું હજી વાજબી ગણાય. પણ કોઇએ કોઇકવાર આવું કર્યું હોય, એ માટે આમ બોલવું-લખવું વ્યાજબી નથી, આ વાડીઓહોલ અપવિત્ર-અશુદ્ધ જગ્યા છે એમ જે લખ્યું છે, એ અંગે જણાવવાનું કે સાધુઓની .ઉત્તમ સાધનાથી અપવિત્ર સ્થાન પણ પવિત્ર બની જાય. જે સાધુઓ શિથિલ હોય, માનસિક રીતે For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy