________________
શંકા-સમાધાન
૪૭૭
હિંદુઓએ અને જૈનોએ એક થઈ ખૂબ પ્રયત્ન કરીને બંધ કરાવવાની જરૂર ખરી કે નહિ ?
સમાધાન- તમારી વાત તદ્દન સાચી છે પણ આ કાર્ય કરવું સરળ નથી. કેમકે સરકારને અહિંસામાં આસ્થા નથી. એ માત્ર પૈસાની જ ભૂખી છે. છતાં આવું કાર્ય સમર્થ અને પ્રભાવશાળી સાધુ-સંતો ભેગા થઇને આગળ આવે તો થઈ શકે. આથી પહેલાં બુદ્ધિશાળી અને સમર્થ ગૃહસ્થો ભેગા થઇને સમર્થ અને પ્રભાવશાળી સાધુ-સંતોને ભેગા કરે. એ સાધુ-સંતો પ્રવચન આદિ દ્વારા પ્રજાને જાગ્રત કરે. પછી ઉગ્ર વિરોધ થાય તો આ કાર્ય થઈ શકે. આવું કાર્ય કરવા માટે બળ અને કળ એ બંનેનો ઉપયોગ કરવો પડે. આથી બુદ્ધિશાળી અને સમર્થ ગૃહસ્થો અને સાધુ-સંતો ભેગા થાય તો જ આ કાર્ય થઈ શકે.
નિગોદ સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૫૨. અવ્યવહાર નિગોદના જીવો ક્યાં રહે છે ? સમાધાન– અવ્યવહાર નિગોદના જીવો સંપૂર્ણ લોકમાં રહે છે. ચૌદ રાજપ્રમાણ લોકનો એક સોયના અગ્રભાગ જેટલો ભાગ પણ એવો નથી કે, જ્યાં અવ્યવહાર નિગોદના જીવો ન હોય. એ જીવોનું શરીર એટલું બધું સૂક્ષ્મ હોય છે કે, કેવલજ્ઞાની સિવાય બીજા કોઈ તેને જોઈ શકે નહિ. ચૌદ રાજલોકમાં અવ્યવહારી જીવોથી ભરેલા અસંખ્ય ગોળા છે. એકે એક ગોળામાં અસંખ્ય નિગોદો છે. એક એક નિગોદમાં અનંત જીવો છે.
શંકા- ૧૦૫૩. અવ્યવહાર રાશિની નિગોદમાંથી નીકળેલો આત્મા પાછો આવ્યવહાર રાશિમાં જાય ?
સમાધાન- ન જાય. કારણ કે જે જીવો એકવાર સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યા પછી શેષ જીવોમાં ઉત્પન્ન થઈને ફરી સૂક્ષ્મ નિગોદમાં આવે, તો પણ એ વ્યવહાર રાશિમાં ગણાય, અર્થાત્ તે અવ્યવહાર રાશિમાં ન જાય, એમ શ્વેતાંબર આમ્નાયાનુસારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org