SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ શંકા-સમાધાન ન હોય. આથી તે અત્યંત ત્યાગમય સાધુ જેવું જીવન જીવે અને નિરર્થક હિંસા ન થઈ જાય તેની અતિશય સાવધાની રાખે તો તેને હતુહિંસા ન પણ લાગે. શંકા- ૧૦૪૯. દેરાસરમાં-ગભારામાં ઘીના દિવા ગ્લાસમાં થાય છે. સાંજના ખાસ તેમાં હિંસા થાય છે. તેના બદલે કવરવાળી ફક્ત એક જ ટ્યુબલાઈટ મૂકવામાં આવે તો બિલકુલ હિંસા ન થાય. સમાધાન– ઘીના ગ્લાસના દિવા ખુલ્લા રહે છે તેથી હિંસા થાય છે. આથી દિવા ખુલ્લા ન રહે તેવું કરવું જોઈએ. ઘીના દિવા ખુલ્લા ન રહે અને પ્રકાશ પણ આવે તેમ કરવું એ અશક્ય નથી. જિનપૂજા યતનાપૂર્વક કરવાની છે. પ્રકાશ માટે રાખેલા ઘીના દિવા ખુલ્લા રહે એ અયતના છે. જ્યાં અયતના હોય ત્યાં હિંસાનો દોષ લાગે. માટે આ અંગે ટ્રસ્ટીઓ સાથે વિચારણા કરીને હિંસા ન થાય તેમ કરવું જોઇએ. પણ કવરવાળી પણ ટ્યુબ લાઇટ તો ન જ વપરાય. કારણ કે ટ્યુબ લાઇટમાં વિદ્યુત હોય છે. એ વિદ્યુત પંચેન્દ્રિય જીવોની હિંસાથી થાય છે. વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં પંચેન્દ્રિય જીવો પણ હણાય છે. આવી હિંસક વિદ્યુત અભયદાતા અને અભયદાનનો ઉપદેશ આપનાર અરિહંત ભગવાનના મંદિરમાં કેવી રીતે વાપરી શકાય ? ખુલ્લા દિવા રાખવામાં જે હિંસા સંભવે છે એથી સીધી કે પરંપરાએ અનેક ગણી હિંસા વિદ્યુતમાં થાય છે. શંકા- ૧૦૫૦. વ્યાખ્યાન સમયે કરવામાં આવતી ગહુલીમાં ઘીના દીવા થાય, ફૂલ મૂકાય, તો હિંસા થઈ તેમ ગણાય કે આવો ઉપયોગ અનુચિત છે એમ કહેવાય ? સમાધાન- ગહ્લીમાં જણાપૂર્વક થતા ઘીના દીવા વગેરેમાં હિંસા થઈ તેમ ન ગણાય તથા આવો ઉપયોગ અનુચિત છે એમ પણ ન કહેવાય. શંકા- ૧૦૫૧. ગોવધ કરવાનો કાયદેસર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર ચાલતા કતલખાનામાં બહુ હિંસા થાય છે. આથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy