SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૪૭૫ થી ૧૭૩માં પૃથ્વીકાયના ઉત્પત્તિ સ્થાનો જણાવ્યા છે. તેમાં રત્નની પ્રતિમાનો ઉલ્લેખ નથી. જીવદયા સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૪૫. જીવદયાના રૂપિયા કેટલા સમયમાં વાપરવા જોઇએ ? સમાધાન– જેમ બને તેમ જલદી વાપરી નાખવા જોઇએ. અનિવાર્ય સંયોગો સિવાય જીવદયાની રકમ રાખી મૂકવાથી ટ્રસ્ટીઓ-કાર્યકર્તાઓ દોષના ભાગીદાર બને. શંકા- ૧૦૪૬. જીવદયાની રકમ ક્યાં વાપરી શકાય ? સમાધાન- જીવદયાની રકમ પાંજરાપોળમાં અને કતલખાને જતા પશુઓને બચાવવામાં વાપરી શકાય. પશુઓને બચાવવાની પ્રવૃત્તિ કરતી સંસ્થામાં આપી શકાય. ગૌશાળા જો કેવળ કમાવાના ધ્યેયથી જ ચાલતી હોય તો તેમાં ન વાપરી શકાય. હિંસા સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૪૭. જિનપૂજા-જિનમંદિર નિર્માણ-ઉપાશ્રય નિર્માણ આદિ શ્રાવક માટે વિહિત કાર્યો કરતાં સ્વરૂપ-હેતુ-અનુબંધ એ ત્રણમાંથી કઈ હિંસા લાગે ? સમાધાન– સમ્યગ્દષ્ટિ શ્રાવક આવા કાર્યો જો યતનાપૂર્વક કરે તો સ્વરૂપહિંસા લાગે, યતના વિના કરે તો હેતુ અને સ્વરૂપ એ બે હિંસા લાગે. આજે આવા કાર્યોમાં યતના જાળવવાની બહુ જરૂર છે. શંકા-૧૦૪૮. અનિવાર્ય સંયોગોમાં હેયબુદ્ધિપૂર્વક સંસારના પાપકાયો કરનારને હેતુ-સ્વરૂપ અનુબંધ એ ત્રણમાંથી કઈ હિંસા લાગે? સમાધાન- પ્રાયઃ સ્વરૂપ અને હેતુ એ બે હિંસા લાગે. કારણ કે હેતુહિંસાનું કારણ પ્રમાદ છે. ગૃહસ્થ સર્વથા પ્રમાદથી રહિત ન હોય. અહીં પ્રાયઃ એટલા માટે કહ્યું કે કોઈ ગૃહસ્થ દીક્ષાની ઉત્કટ ભાવનાવાળો હોય પણ તેવા સંયોગોના કારણે દીક્ષા લઈ શકે તેમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy