________________
શંકા-સમાધાન
૪૭૪
આથી જ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રમાં બીજા અધ્યાયના તેરમા સૂત્રમાં ભાષ્યની ટીકામાં અકાય શબ્દના અર્ એ જ જેની કાયા છે તે અકાય એવો સમાસવિગ્રહ કર્યો છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે પાણી એ જીવનું શરીર છે. એ શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે. એ શરીર એટલું સૂક્ષ્મ હોય છે કે જેથી એક શરીરને આપણે જોઇ ન શકીએ. અસંખ્ય શરીરો ભેગા થાય તો જ આપણે જોઇ શકીએ. એક શરીરમાં એક જીવ. એ રીતે પાણીના એક જ બિંદુમાં એટલા બધા શરીરો છે કે જેથી એ દરેક શરીરને સરસવ જેટલું બનાવવામાં આવે, તો એક લાખ યોજન પ્રમાણ જંબુદ્વીપમાં ન સમાય. શંકા- ૧૦૪૧. તમસ્કાયના જીવો કયા ભેદમાં આવે ? સમાધાન– અપ્લાયના ભેદમાં આવે.
શંકા- ૧૦૪૨. વિકલેન્દ્રિય જીવો જળપાન કરતા દેખાતા નથી. એમને જળપાન હોય કે નહિ ? ન હોય તો કેવી રીતે ?
સમાધાન– આ વિષે કોઇ વિગત શાસ્ત્રમાં મારા વાંચવામાં આવી નથી. કેટલાંક વિકલેન્દ્રિય જીવો જળમાં જ ઉત્પન્ન થતા હોય છે. એથી એમને જળની જરૂર ન રહે. તે સિવાયના વિકલેન્દ્રિય જીવોનો આહાર અને શરીર બંધારણ એવું છે કે જેથી તેમને જળની જરૂર જ ન રહે. આથી વિકલેન્દ્રિય જીવોને જળપાન ન હોય એમ સંભવે છે. આ વિષે પરમાર્થ તો જ્ઞાની જાણે.
શંકા- ૧૦૪૩. કેળના ઝાડમાં જે પડ છે તેમાં પ્રાયઃ દરેક પડ અલગ-અલગ છે. તો દરેક પડમાં અલગ અલગ જીવ હોય કે બધા પડમાં એક જીવ હોય ?
સમાધાન– દરેક પડમાં અલગ અલગ જીવ હોય એમ સંભવે છે. શંકા- ૧૦૪૪. શાશ્વતી પ્રતિમામાં રત્નરૂપ પૃથ્વીકાય જીવો શું અત્યારે પણ પ્રતિમામાં હોય જ છે ?
સમાધાન– શાશ્વતી રત્નપ્રતિમા અચિત્ત છે, તેથી તેમાં પૃથ્વીકાય રૂપ જીવો ન હોય. કારણ કે લોકપ્રકાશ (દ્રવ્ય) સર્ગ-૫ શ્લોક ૧૭૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org