________________
૪૭૨
શંકા-સમાધાન
ભાવને પોષનારી છે. તદ્દા અનાયમૂલા હિંસારદિયા... એ ગાથાના આધારે આ આચરણા સૂત્રની જેમ પ્રમાણ ક૨વી જોઇએ.
શંકા— ૧૦૩૫. બરફનો શેક કરતા હોય, તો સ્વાધ્યાય થાય ? એ આલોચનામાં ગણાય ?
સમાધાન સ્વાધ્યાય કરી શકાય. પણ એ સ્વાધ્યાય આલોચના વાળવામાં ન ગણાય. આલોચનામાં એ જ સ્વાધ્યાયની ગણતરી થતી હોય છે કે જે ઇરિયાવહી કરીને કરવામાં આવતો હોય.
જીવ સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૩૬. ફળમાં કેટલા જીવ હોય ?
સમાધાન— ત ત ઇષ્ઠિ ટ્ઠા એ જીવ વિચારની ગાથાના આધારે છાલ અને ગર્ભ એ બેનો સંયુક્ત એક જીવ હોય. કારણ કે ફળમાં એક જીવ હોય એમ કહ્યું છે. ગર્ભ અને છાલ ફળ સ્વરૂપ છે. ગોટલો-ગોટલી-ઠળિયામાં એક જીવ હોય. કારણ કે બીજમાં ફળથી અલગ જીવ કહ્યો છે. મોસંબી વગેરેમાં અંદર પણ અત્યંત પાતળી છાલ હોય છે. આ છાલમાં અલગ જીવ ન હોય, કિંતુ ફળનો જ જીવ હોય. આથી કેરી વગેરેમાં ગર્ભસહિત છાલનો એક જીવ અને ગોટલીનો એક જીવ એમ બે જીવ હોય એમ જણાય છે. જે ફળમાં એકથી વધારે બીજ હોય તે ફળમાં જેટલા બીજ વધારે હોય તેટલા જીવ વધારે.
શંકા— ૧૦૩૭. એક વા૨ મૈથુન સેવનમાં કેટલા જીવો નાશ પામે ? સમાધાન– એકવારના મૈથુન સેવનમાં ૯ લાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવો, અસંખ્યાતા બેઇન્દ્રિય જીવો તથા અસંખ્યાતા સંમૂચ્છિમ મનુષ્યો નાશ પામે છે. આ વિશે સંબોધ પ્રક૨ણ ગુરુ અધિકાર ગા. ૭૩, ૭૪માં કહ્યું છે કે સ્ત્રીની યોનિમાં ગર્ભજ મનુષ્યો બે થી નવ લાખ ઉત્પન્ન થાય, તેમાંથી એક, બે અથવા ત્રણ જીવો યાવત્ ૨ થી ૯ જીવો જન્મ લે છે. બાકીના સર્વનો નાશ થાય છે. સ્ત્રીની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org