SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૪૭૧ જણાતો નથી. આમ છતાં આ વિષયમાં પોતાના સમુદાયની સામાચારી પ્રમાણે વર્તવું. શંકા- ૧૦૩૩. શ્રાવકો રાતના લાઈટમાં સ્વાધ્યાય કરી શકે ? સમાધાન- સ્વાધ્યાય કરી શકાય પણ આલોચનામાં ન વળાય. શંકા- ૧૦૩૪. આવશ્યક સૂત્ર નિર્યુક્તિની ૧૩૩૩મી ગાથાની ટીકામાં અચિત્તરજના કાઉસ્સગ્ન અંગેની વિગત આવે છે. એ ટીકાનો શબ્દાર્થ આ પ્રમાણે થાય છે જો કાયોત્સર્ગ કર્યો હોય અને સ્વાભાવિક અચિત્તરજ પડતી હોય તો પણ એક વર્ષ સુધી સ્વાધ્યાય કરે, જો કાયોત્સર્ગ ન કર્યો હોય તો સ્વાભાવિક રજ પડતી હોય તો એક વર્ષ સુધી સ્વાધ્યાય ન કરે. પડંતે એવો વર્તમાનકાળનો પ્રયોગ હોવાથી “સ્વાભાવિક રજ પડતી હોય ત્યારે સ્વાધ્યાય ન કરે' એવો અર્થ થાય, આનો ભાવાર્થ એ થયો કે કાયોત્સર્ગ ન કર્યો હોય તો પણ અચિત્તરજ ન પડતી હોય ત્યારે સ્વાધ્યાય કરે. સમાધાન– આ અર્થ બરોબર છે. આમ છતાં સેનપ્રશ્નનો વિચાર કરતાં તેઓશ્રીના સમયે કાયોત્સર્ગ ન કર્યો હોય તો કોઈ પણ સૂત્ર વાંચી-વંચાવી શકાય નહિ એવી આચરણા શરૂ થયેલી હોવી જોઇએ. આવી આચરણા શરૂ થવાનું કારણ “સાધુઓ કાયોત્સર્ગ કરવામાં બેદરકાર ન બને તે હોવું જોઇએ.' જો અચિત્તરજ પડે ત્યારે જ સ્વાધ્યાયનો નિષેધ હોય તો સાધુને એમ થાય કે “એટલો સમય આગમનો અભ્યાસ નહિ કરીએ, બીજો સ્વાધ્યાય કરીશું. આમ સાધુ વિચારે એટલે કાયોત્સર્ગ કરવાનો માથા ઉપર ભાર ન રહે. આથી “કાયોત્સર્ગ કરવામાં સાધુઓ પ્રમાદ ન કરે એ હેતુથી આવી આચરણા શરૂ થઈ હોય એમ જણાય છે. વિશેષ તો જ્ઞાની જાણે, આવી આચરણા આપણે માનવી જોઇએ. કારણ કે આવી આચરણ જો આપણે કાયોત્સર્ગ નહિ કરીએ તો આપણાથી આગમનો અભ્યાસ કરી-કરાવી શકાશે નહિ, માટે કાયોત્સર્ગ ન ભૂલાય તેની કાળજી રાખવી જોઈએ' આવા અપ્રમાદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy