________________
શંકા-સમાધાન
૪૬૯ વહોરવા જવામાં સાધુઓને કોઈ બાધ નથી. હા, અશુચિવાળી પ્રસૂતાએ બનાવેલી રસોઈ કે તેણે સ્પર્શેલી રસોઈ સાધુથી ન વહોરાય.
શંકા- ૧૦૨૭. પ્રસૂતિ થાય ત્યારે માતા દર્શન-પૂજન વગેરે ક્યાં સુધી ન કરી શકે ?
સમાધાન- શરીરમાં પ્રસૂતિના કારણે થયેલી અશુચિ જણાય ત્યાં સુધી પ્રસૂતાવાળી બહેન દર્શન-પૂજન વગેરે ન કરી શકે. શરીરમાંથી અશુચિ દૂર થયા પછી દર્શન-પૂજન વગેરે સર્વ ધર્મક્રિયા કરી શકે. આ વિષે સેનપ્રશ્ન ગ્રંથનો બીજો પાઠ આ પ્રમાણે છે
પ્રશ્ન- સુવાવડવાળી કડવા મતવાળા ગૃહસ્થની સ્ત્રી એક માસ સુધી કોઈ પણ ચીજને અડકતી નથી, રાંધવાની ક્રિયા કરતી નથી અને આપણા સમૂહમાં તો દશ દિવસ જ સાચવે છે તેવું કેમ ?
ઉત્તર– દશ દિવસ સુધી સુવાવડી સ્ત્રી સંઘટ્ટા વગેરે ન કરે તેમ લોકરીતિ છે. તેમાં પણ દેશવિશેષે કાંઈક ફેરફાર પણ છે. (૨-૫૪.)
અહીં ઉત્તરમાં “લોકરીતિ છે, તેમાં પણ દેશવિશેષે ફેરફાર પણ હોય.” એ પાઠ ધ્યાનમાં રાખવા જેવો છે. કેમ કે આજે મોટા ભાગે હોસ્પિટલમાં પ્રસૂતિ થતી હોય છે. તેથી અશુચિ જલદી દૂર થાય એવું બની શકે. માટે સામાન્યથી એમ માની શકાય કે શરીરમાંથી અશુચિ દૂર થયા પછી દર્શન-પૂજન વગેરે ધર્મક્રિયા કરવામાં કોઈ બાધ નથી.
શંકા- ૧૦૨૮. ડૉકટરનું પોતાનું જ નર્સિંગ હોમ હોય તો પૂજા વગેરે કરી શકે ?
સમાધાન– જેનું પોતાનું જ નર્સિંગ હોમ હોય તે ડૉકટર પણ સ્નાન કર્યા પછી પૂજા વગેરે કરી શકે છે. જો સ્નાન કર્યા પછી પણ પૂજા વગેરે ન થઈ શકતું હોય તો ચક્રવર્તીને ઘણી રાણીઓ હોય છે. એથી પ્રસૂતિના પ્રસંગો લગભગ ચાલુ જ હોય. એથી ચક્રવર્તીને તો લગભગ પૂજા કરવાનું બંધ જ થઈ જાય. પણ તેવું નથી.
શંકા- ૧૦૨૯. આપણા શાસ્ત્રમાં માસિક ધર્મવાળી બહેને સ્પલ ભોજન વગેરેનો ઉપયોગ કરવાનો નિષેધ છે પણ ઘણા તીથોમાં યુવાન સ્ત્રીઓ પુષ્પો વેચતી નજરે પડે છે. સમૂહમાં થતા ધાર્મિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org