________________
૪૬૮
શંકા-સમાધાન
ઉત્તર– જેના ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થયો હોય તે ઘરના પાણીથી દેવપૂજા સુઝે નહિ(=શુદ્ધ ન થાય) એવા અક્ષરો શાસ્ત્રમાં હોય એવું જાયું નથી. તેમ જ તેના ઘરના) ગોચરી-પાણી વગેરેને આશ્રયીને જે દેશમાં જે લોકવ્યવહાર હોય તેને અનુસરી સાધુઓએ તે પ્રમાણે કરવું જોઇએ. પરંતુ દશ દિવસનો આગ્રહ શાસ્ત્રોમાં જાણ્યો નથી. (૪-૧૮-૨૪૮)
હરિપ્રશ્નોત્તરના આ પાઠ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સૂતક એ લોકવ્યવહાર છે. આ પાઠમાં સ્પષ્ટ લખ્યું છે કે “જે દેશમાં જે લોકવ્યવહાર હોય તેને અનુસરીને સાધુઓએ કરવું જોઈએ.'
આજે સાધુઓ મોટા ભાગે જૈનકુળોમાં ગોચરી વહોરવા જતા હોય છે. શ્રાવકો માટે સૂતકમાં વહોરાવવાનો નિષેધ શાસ્ત્રોમાં નથી. એટલે શ્રાવકો લૌકિકદષ્ટિએ સૂતકના ગણાતા દિવસોમાં પણ વહોરાવી શકે અને સાધુઓ વહોરી શકે.
હા, આજે પણ સાધુઓ જૈનેતરોના ઘરમાં વહોરવા જાય, તો તેમનો જે વ્યવહાર હોય તે પ્રમાણે વહોરવા જવું જોઇએ. પૂર્વે બ્રાહ્મણો વગેરે ભિક્ષા માટે જતા હતા. તે લોકો સૂતકવાળા ઘરોમાં સામાન્યથી દશ દિવસ સુધી ભિક્ષા માટે જતા ન હતા. તેમાં પણ તે તે દેશમાં અલગ-અલગ નિયમ હોઈ શકે છે. માટે ઉક્ત હીરપ્રશ્ન ગ્રંથના પાઠમાં “જે દેશમાં જે લોકવ્યવહાર હોય તેના અનુસાર સાધુઓએ કરવું જોઇએ. દશ દિવસનો આગ્રહ શાસ્ત્રમાં જાણ્યો નથી.' એમ કહ્યું છે. આ વિષે સેનપ્રશ્ન ગ્રંથનો પણ પાઠ જોઈએ. પ્રશ્ન– સૂતકવાળા ઘરે સાધુથી આહાર વહોરવા જવાય કે નહિ?
ઉત્તર- જે દેશમાં સૂતકવાળા ઘરે જેટલા દિવસ સુધી બ્રાહ્મણ વગેરે ભિક્ષા માટે ન જાય તે દેશમાં સાધુઓએ તેટલા દિવસો સુધી આહાર માટે ન જવું એમ વૃદ્ધવ્યવહાર છે. (૩-૫૪૯)
આ પાઠમાં વૃદ્ધવ્યવહાર છે એમ લખ્યું છે. શાસ્ત્રપાઠ આપ્યો નથી. આજે શ્રાવકોના ઘરોમાં સૂતકના ગણાતા દિવસોમાં પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org