________________
શંકા-સમાધાન
૪૬૭
પ્રશ્ન- જન્મસૂતકમાં અને મરણ સૂતકમાં પ્રભુ પ્રતિમાની પૂજા થાય કે નહિ ?
ઉત્તર– જન્મ-મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી, એટલે પૂજા ન થાય એમ જાણ્યું નથી. (૪-૯૨૪)
આથી સ્પષ્ટ થાય છે કે બાળકના પિતા, એક જ રસોડે જમનારા, માતાની સેવામાં રહેનારા પણ સ્નાન કર્યા પછી દર્શન-પૂજનપ્રતિક્રમણ વગેરે બધી જ ધર્મક્રિયાઓ કરી શકે. પ્રસૂતાનો સ્પર્શ થયો હોય, તો પણ સ્નાનથી શુદ્ધિ થાય છે એમ લૌકિક શાસ્ત્રો પણ માને છે. મનુસ્મૃતિ ગ્રંથ અ.૫ શ્લોક ૮૬ માં લખ્યું છે કે “પ્રસૂતા સ્ત્રીને અડનાર, મૃતકને અડનાર અને મૃતકને અડેલા હોય તેવા માણસને અડનાર સ્નાન માત્રથી જ શુદ્ધ થઈ જાય છે.”
જૈનશાસ્ત્રોમાં પિતાથી આટલા દિવસ પૂજા ન થાય, એક રસોડે જમનારથી આટલા દિવસ, પુત્ર જન્મે તો આટલા દિવસ, પુત્રી જન્મે તો આટલા દિવસ, સ્વદેશમાં આટલા દિવસ, પરદેશમાં આટલા દિવસ પૂજા ન થાય આવી કોઈ વાત નથી.
હવે સાધુઓને વહોરાવવા અંગે વિચારીએ. પૂર્વે સાધુઓ જૈનેતરોના ઘરોમાં વહોરવા જતા હતા. એટલે જૈનેતરો જૈનધર્મની નિંદા ન કરે, એ માટે જે દેશમાં અને જે કુળોમાં સૂતક અંગે જે વ્યવહાર (મર્યાદા) હોય તે વ્યવહાર સાધુઓએ પણ પાળવો જોઈએ. માટે જૈનશાસ્ત્રમાં વહોરવા જવા માટે જે કંઈ જણાવ્યું છે, તે લૌકિક વ્યવહારનું પાલન કરવા માટે છે. આ અંગે હીરપ્રશ્ન ગ્રંથમાં પ્રશ્નોત્તર આ પ્રમાણે છે
પ્રશ્ન- ખરતરગચ્છમાં જેઓના ઘરે પુત્ર અથવા પુત્રીનો જન્મ થયો હોય તે ઘરમાં મનુષ્યો પોતાના ઘરના પાણીથી પૂજા કરતા નથી અને ખરતર ગચ્છના સાધુઓ પણ તેના ઘરે દશ દિવસ સુધી ગોચરી-પાણી માટે જતા નથી. આવા અક્ષરો ક્યાં છે ? તથા આપણા ગચ્છમાં પુત્ર-પુત્રીના જન્મને અવલંબીને કયો વિધિ છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org