________________
૪૬૬
શંકા-સમાધાન
હતા અને બ્રાહ્મણો વગેરે સૂતકવાળા ઘરે ભિક્ષા માટે જતા ન હતા. આવી સ્થિતિમાં સાધુઓ જો સૂતકવાળા ઘરોમાં ગોચરી જાય તો શાસનની લઘુતા થાય. જૈનેતરો ટીકા-નિંદા કરે કે જૈનસાધુઓ લોકવ્યવહારને પણ જાણતા નથી. આથી વ્યવહાર સૂત્રમાં જણાવેલ દશ દિવસનો નિષેધ લૌકિક વ્યવહારના પાલન માટે છે એમ વ્યવહારસૂત્ર વગેરેની ટીકામાં સ્પષ્ટ કર્યું છે. આથી લોકોત્તર(=જૈનો માટે) તેવો નિષેધ નથી.
આમ છતાંય, જો અજ્ઞાનતા આદિના કારણે જૈનો એમ કહે કે સાહેબ ! અમારા ઘરે સૂતક છે તેથી આપને નહિ કહ્યું, તો પ્રજ્ઞાપનીય હોય તો સાચી સમજ આપવી જોઇએ. અપ્રજ્ઞાપનીય હોય તો તેવા જૈનઘરોમાં પણ સાધુથી ન વહોરાય.
શંકા- ૧૦૨૬. બાળક કે બાળક જન્મે ત્યારે બાળકના પિતાથી, એક જ રસોડે જમનારથી અથવા માતાની સેવામાં રહેનારથી દર્શનપૂજન-પ્રતિક્રમણ-સાધુને વહોરાવવું થઈ શકે ? આ અંગે શાસ્ત્રવિધાન શું છે ?
સમાધાન– સૂતક લૌકિક વ્યવહાર છે, જિનસિદ્ધાંત નથી. જો જિનસિદ્ધાંત હોત, તો શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ વગેરેમાં શ્રાવકથી સૂતકમાં આટલા દિવસ પૂજા ન થાય, આટલા દિવસ સાધુઓને ન વહોરાવાય ઇત્યાદિ લખ્યું હોત. પણ શ્રાવકોના આચારોને જણાવનારા કોઈ ગ્રંથમાં આવી વાત જણાતી નથી. આનો અર્થ એ થયો કે, પ્રસૂતા બહેનના શરીરમાં જ્યાં સુધી અશુચિ હોય, ત્યાં સુધી પ્રસૂતા બહેન જિનપૂજા વગેરે ન કરી શકે. ઘરના બીજા બધા શ્રાવકશ્રાવિકાઓ સ્નાન કરીને પૂજા કરી શકે છે. સ્નાન કર્યા પછી પ્રસૂતા બહેનનો સ્પર્શ ન થાય તેની કાળજી રાખવી જોઇએ તથા પ્રસૂતા બહેન પૂજાનાં વસ્ત્રોને ન સ્પર્શે, તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. પ્રસૂતા બહેનની સેવામાં રહેનાર બહેન પણ સ્નાન કરીને પૂજા કરી શકે. આ અંગે સેનપ્રશ્ન ગ્રંથમાં પ્રશ્નોત્તર આ પ્રમાણે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org