SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૪૬૫ સમાધાન– જે ઘરમાં આભડછેટ(=પ્રસૂતા બહેનનો સ્પર્શ થવો વગેરે) ન થતી હોય તે ઘરમાં પ્રસૂતિના દિવસથી જ સાધુથી વહોરી શકાય. આજે તો પ્રસૂતિ હોસ્પિટલમાં થતી હોય છે, એથી આભડછેટનો પ્રશ્ન જ રહેતો નથી. કદાચ કોઈ હોસ્પિટલમાં ગયા હોય અને આભડછેટ થઈ હોય તો પણ સ્નાન કરવાથી શુદ્ધિ થઈ જાય છે. શંકા- ૧૦૨૪. જૈનોના ઘરે માસિક ધર્મવાળી બહેનોથી ગોચરી વહોરાવી શકાતી નથી, ત્યારે શુદ્ધ-નિર્દોષ ગોચરી મેળવવા અજૈન પરિવારોને ત્યાંથી ગોચરી લાવી શકાય ? ત્યાં તો લગભગ બહેનો માસિક ધર્મનું પાલન જ કરતી નથી હોતી, તો તે ચાલે ખરું ? સમાધાન- ગોચરી જવા માટે લાયક ગીતાર્થ સાધુ હોય અને ગીતાર્થ સાધુને જે વખતે જે યોગ્ય લાગે તે કરે. પૂર્વે પણ સાધુઓ જૈનેતરોને ત્યાં ગોચરી જતા હતા, એટલે વર્તમાનમાં પણ જૈનેતરોને ત્યાં ગોચરી જઈ શકાય. વહોરાવનાર અને રસોઈ બનાવનાર અંતરાયવાળા છે, એવી ખબર પડે તો ત્યાંથી ગોચરી ન વહોરવી. અંતરાય અંગે ઘરે ઘરે પ્રશ્ન પૂછવો યોગ્ય જણાતો નથી. શંકા- ૧૦૨૫. પ્રસૂતિવાળા ઘરમાં સાધુથી દશ દિવસ સુધી વહોરવા ન જવાય એમ શાસ્ત્રમાં આવે છે તેનું શું ? સમાધાન– એ નિષેધ લૌકિક વ્યવહારના પાલન માટે છે. લોકમાં સૂતક સંબંધી મર્યાદાના પાલન માટે છે. આથી જ કોઇ દેશમાં દશ દિવસનું સૂતક હોય તો કોઈ દેશમાં દશ દિવસથી વધારે-ઓછું પણ હોય. આ વિષે સેનપ્રશ્ન ગ્રંથમાં ૬૩૮મા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે “શ્રી વ્યવહાર સૂત્રની ટીકામાં જે દશ દિવસનું વર્જન છે તે દેશવિશેષને આશ્રયીને છે. તેથી જે દેશમાં સૂતક સંબંધી જે મર્યાદા હોય તેટલા દિવસ વર્જવા.” પૂર્વે સાધુઓ જૈનોના જ ઘરોમાં ગોચરી જતા હતા એવું ન હતું. જૈનેતરોના ઘરોમાં પણ ગોચરી જતા હતા. તેમાં પણ જૈનોના ઘરો કરતાં જૈનેતરીના અધિક ઘરોમાં ગોચરી જવાનું થતું હતું. જૈનેતરો સ્મૃતિશાસ્ત્રના આધારે સૂતકના દિવસોમાં દાન ન કરાય એવું માનતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy