________________
શંકા-સમાધાન
૪૬૩
આડમાં (સામે નહિ) ઊભા રહીને પચ્ચક્ખાણ માગે તો હજી આપી શકાય. અંતરાયવાળી બહેનો સાધ્વીજી મ. પાસે પચ્ચક્ખાણ માગી શકે અને સાધ્વીજી મ. પચ્ચક્ખાણ આપી શકે.
શંકા- ૧૦૧૭. અંતરાયવાળા હોય તો એકાસણા આદિનો કરેલો તપ ભવ આલોચનામાં ગણાય ?
સમાધાન– ન ગણાય.
શંકા ૧૦૧૮. વીશસ્થાનક આયંબિલથી કરતા હોય, ત્યારે છઠ્ઠની ઓળી આવે, તેમાં બે આયંબિલ કરતા હોઇએ, ત્યારે બંને દિવસ દેરાસરમાં પચ્ચક્ખાણ લેવા જોઇએ ? બીજે દિવસે દેરાસરમાં પચ્ચક્ખાણ લીધા વગર અંતરાયવાળા થાય, તો એ બે આયંબિલ ગણાય?
સમાધાન– વીશસ્થાનક તપમાં છઠ્ઠની ઓળી કરતા હોય, ત્યારે બીજા આયંબિલમાં સવારમાં પ્રતિક્રમણ વખતે આયંબિલનું પચ્ચક્ખાણ ધારી લીધું હોય કે લઇ લીધા પછી અંતરાયવાળા થાય, તો એ આયંબિલનો તપ ગણાય. દેરાસર ન ગયા હોય, તોપણ એ આયંબિલ વીશસ્થાનકમાં ગણાય.
શંકા- ૧૦૧૯. અંતરાય લંબાવવાની ગોળી ઉપવાસમાં કે રાત્રે લેવાય ?
સમાધાન– જો ગોળી કડવી કે કોઇપણ જાતના સ્વાદ વગરની હોય, તો પાણી વગર લઇ શકાય. આ ગોળી વાપર્યા પછી ૪૮ મિનિટ સુધી પાણી ન વપરાય. આમ છતાં એટલું સમજવું જરૂરી છે કે આવી ગોળી નછૂટકે જ લેવાની હોય. આવી ગોળીઓ લેવાથી વ્યવસ્થિત ચાલતા શરીરના તંત્રમાં અવ્યવસ્થા થાય છે. વધારે લેવાથી ભવિષ્યમાં મોટું નુકસાન થવાની સંભાવના પણ રહે છે.
શંકા- ૧૦૨૦. જેના ઘરમાં પ્રસૂતિ થઇ હોય તે ઘરના માણસો કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે ?
સમાધાન– જેના ઘરમાં પ્રસૂતિ થઇ હોય તે ઘરના બધા માણસો તે જ દિવસથી સ્નાન કરીને પૂજા કરી શકે. સંઘટ્ટો થયો હોય તો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org