SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૪૬૩ આડમાં (સામે નહિ) ઊભા રહીને પચ્ચક્ખાણ માગે તો હજી આપી શકાય. અંતરાયવાળી બહેનો સાધ્વીજી મ. પાસે પચ્ચક્ખાણ માગી શકે અને સાધ્વીજી મ. પચ્ચક્ખાણ આપી શકે. શંકા- ૧૦૧૭. અંતરાયવાળા હોય તો એકાસણા આદિનો કરેલો તપ ભવ આલોચનામાં ગણાય ? સમાધાન– ન ગણાય. શંકા ૧૦૧૮. વીશસ્થાનક આયંબિલથી કરતા હોય, ત્યારે છઠ્ઠની ઓળી આવે, તેમાં બે આયંબિલ કરતા હોઇએ, ત્યારે બંને દિવસ દેરાસરમાં પચ્ચક્ખાણ લેવા જોઇએ ? બીજે દિવસે દેરાસરમાં પચ્ચક્ખાણ લીધા વગર અંતરાયવાળા થાય, તો એ બે આયંબિલ ગણાય? સમાધાન– વીશસ્થાનક તપમાં છઠ્ઠની ઓળી કરતા હોય, ત્યારે બીજા આયંબિલમાં સવારમાં પ્રતિક્રમણ વખતે આયંબિલનું પચ્ચક્ખાણ ધારી લીધું હોય કે લઇ લીધા પછી અંતરાયવાળા થાય, તો એ આયંબિલનો તપ ગણાય. દેરાસર ન ગયા હોય, તોપણ એ આયંબિલ વીશસ્થાનકમાં ગણાય. શંકા- ૧૦૧૯. અંતરાય લંબાવવાની ગોળી ઉપવાસમાં કે રાત્રે લેવાય ? સમાધાન– જો ગોળી કડવી કે કોઇપણ જાતના સ્વાદ વગરની હોય, તો પાણી વગર લઇ શકાય. આ ગોળી વાપર્યા પછી ૪૮ મિનિટ સુધી પાણી ન વપરાય. આમ છતાં એટલું સમજવું જરૂરી છે કે આવી ગોળી નછૂટકે જ લેવાની હોય. આવી ગોળીઓ લેવાથી વ્યવસ્થિત ચાલતા શરીરના તંત્રમાં અવ્યવસ્થા થાય છે. વધારે લેવાથી ભવિષ્યમાં મોટું નુકસાન થવાની સંભાવના પણ રહે છે. શંકા- ૧૦૨૦. જેના ઘરમાં પ્રસૂતિ થઇ હોય તે ઘરના માણસો કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે ? સમાધાન– જેના ઘરમાં પ્રસૂતિ થઇ હોય તે ઘરના બધા માણસો તે જ દિવસથી સ્નાન કરીને પૂજા કરી શકે. સંઘટ્ટો થયો હોય તો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy