________________
૪૬ ૨
શંકા-સમાધાન
તે ઘરમાં રહેનાર શ્રાવક સ્નાન કર્યા પછી પૂજા-પ્રતિક્રમણ વગેરે કરી શકે છે. અહીં પૂજા-પ્રતિક્રમણના વસ્ત્રોને ઘરની અન્ય કોઈ વ્યક્તિ સ્પર્શે નહિ તેની પૂરતી કાળજી રાખવી જોઈએ તથા તે વસ્ત્રો થેલી વગેરેમાં એવી રીતે રાખવા જોઈએ કે જેથી પોતાનો સીધો સ્પર્શ પણ એ વસ્ત્રોને સ્નાન કર્યા પછી જ થાય. સ્નાન કર્યા પછી શરીર શુદ્ધ થઈ જાય છે.
શંકા- ૧૦૧૩. એમ.સી.માં આવેલ બહેન ૭૨ કલાક પૂર્ણ થયા પછી સ્નાન કરે તો સ્નાન કર્યા બાદ તુરત પ્રતિક્રમણ ભણાવી શકે ?
સમાધાન-પોતાને જરા ય અશુચિ ન જણાતી હોય તો ભણાવી શકે. શંકા- ૧૦૧૪. ઉપધાનમાં એમ.સી. વાળી બહેનોને ક્રિયા પડદામાં રાખીને કરાવાય છે તે કઈ રીતે યોગ્ય છે? પવેયણાની ક્રિયા ન કરાવાય તો ન ચાલે ?
સમાધાન– ઉપધાનમાં દરરોજની જે ક્રિયા વિહિત છે તે અવશ્ય કરવી જોઇએ. એમ.સી. વાળી બહેનો દેવ-ગુરુનાં દર્શન ન કરી શકે. માટે એમ.સી. વાળી બહેનોને ક્રિયા પડદામાં રાખીને કરાવાય છે. ઉપધાનમાં એમ.સી. વાળી બહેનોને સવાર-સાંજની ક્રિયા ન કરાવવામાં આવે તો જિનાજ્ઞાભંગ રૂપ દોષ લાગે.
શંકા- ૧૦૧૫. ઉપધાનમાં બહેનો એમ.સી.માં આવે, તો પૌષધ ચાલુ રાખે છે તેમ કોઈ બહેનને ચોસઠપ્રહરી પૌષધ અખંડ રાખવાની ભાવના હોય અને બીજા-ત્રીજા દિવસે એમ.સી.માં આવે તો શું કરવું ? પૌષધ ચાલુ રાખવો કે પરાવી દેવો ?
સમાધાન– પૌષધ ચાલુ રાખી શકાય, એમ જણાય છે. આમ છતાં વર્તમાનમાં પારી લેવાની આચરણા જોવામાં આવે છે.
શંકા- ૧૦૧૬. અંતરાય (એમ.સી.) વાળી બહેનો સાધુસાધ્વીજી પાસે પચ્ચખાણ માગી શકે ? સાધુ-સાધ્વીજી અંતરાયવાળી બહેનોને પચ્ચકખાણ કરાવી શકે ?
સમાધાન અંતરાયવાળી બહેનોને સાધુના ઉપાશ્રયે જવાનું જ નથી. સાધુઓ ઘરે વહોરવા ગયા હોય અને અંતરાયવાળી બહેન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org