________________
૪૬૧
શંકા-સમાધાન છે. જો ઋતુવંતી બહેનને સાક્ષાત્ સ્પર્શ થયો હોય તો પણ સ્નાન કરીને ધર્મક્રિયા કરી શકાય.
શંકા- ૧૦૧૧. એમ.સી.માં સ્નાન કર્યા બાદ પૂજા કેટલા દિવસે થાય ? ગોચરી ક્યારે વહોરાવી શકાય ? પ્રતિક્રમણ વગેરે ક્યારે કરી શકાય ?
સમાધાન- એમ.સી.માં સ્નાન કર્યા બાદ દર્શન-પૂજન અંગે ઋતુવંતીની સજઝાયમાં કહ્યું છે કે“ચોથે દિવસે દરિસણ સૂઝ, સાતમે પૂજા ભણીએ.”
આ કથન સામાન્યથી છે. વિશેષથી તો પોતાને હવે જરા ય અશુદ્ધિ રહી નથી તેવી ખાતરી થયા પછી ઋતુવતી સ્ત્રી પૂજા કરી શકે છે. એમ.સી.ના ૭૨ કલાક પૂર્ણ થયા પછી ગોચરી વહોરાવી શકાય અને પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયા પણ કરી શકાય.
શંકા- ૧૦૧૨. જે ઘરમાં એમ.સી.નું પાલન પૂર્ણ રીતે ન થતું હોય, તે ઘરમાં રહેનાર શ્રાવકને પૂજા-પ્રતિક્રમણ વગેરે કરવાની ભાવના હોય તો કઈ રીતે કરી શકે ?
સમાધાન- એમ.સી.વાળા બહેનથી ઘરનું કોઈ પણ કામ ન થાય. એને ઘરની વસ્તુઓ સ્પર્શવાનો પણ નિષેધ શાસ્ત્રમાં જણાવ્યો છે. શાસ્ત્રની આ વાતને સામાન્ય શ્રાવક-શ્રાવિકાઓ પણ સમજી શકે એ માટે એક મહાપુરુષે સ્તુતિમાં આ પ્રમાણે વણવી છે.
ઋતુવંતી અડકે નહિ એ, ન કરે ઘરનાં કામ તો, તેહના વાંછિત પૂરશે એ દેવી સિદ્ધાયિકા નામ તો.
આમ જૈનોના ઘરમાં આ નિયમનું બરાબર પાલન થવું જોઈએ તથા એમ.સી.વાળી બહેને બનાવેલ ભોજન ન વાપરવું જોઈએ. આમ છતાં સંયોગ કે લાચારી આદિના કારણે એમસી.વાળી બહેને બનાવેલ ભોજન વાપરવું જ પડે તો પણ પૂજા, સામાયિક અને પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ તો ન જ મૂકવી જોઈએ. જે ઘરમાં એમ.સી.નું પાલન ન થતું હોય, છોકરાઓમાં અડીઅડ થતી હોય, યાવત્ એમ.સી. વાળી બહેનની બનાવેલી રસોઈ જમવી પડતી હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org