________________
૪૬૦.
શંકા-સમાધાન
અનંતરપણે પૂજાનાં વસ્ત્રોને થતો નથી, કિંતુ પરંપરાએ થાય છે. આથી તેવાં વસ્ત્રોને પાણીથી ધોવાથી શુદ્ધ બની જાય.
શંકા- ૧૦૦૮. પૂજા આદિના વસ્ત્રો અંતરાયવાળી બહેનોના અડવાથી અશુદ્ધ બની ગયા હોય, તો એને શુદ્ધ કરવાના ઉપાયો કયા?
સમાધાન– અંતરાયવાળી બહેનથી સ્પર્શાવેલાં પૂજાનાં વસ્ત્રો ધોવાથી શુદ્ધ થઈ શકે નહિ. અહીં કોઈ એવી દલીલ કરે કે મૃતકને અડનાર પુરુષનું શરીર સ્નાન કરવાથી શુદ્ધ થઈ શકતું હોય તો પૂજાનાં વસ્ત્રો ધોવાથી શુદ્ધ કેમ ન થઈ શકે ? આ દલીલ બરાબર નથી. મૃતકને અડનાર પુરુષનું શરીર સ્નાન કરવાથી શુદ્ધ થઈ શકે છે. કારણ કે શરીર અપરિહાર્ય(Sત્યાગ ન કરી શકાય તેવું) છે,
જ્યારે પૂજાનાં વસ્ત્રો પરિહાર્ય( ત્યાગ કરી શકાય તેવાં, અર્થાત્ નવાં લઈ શકાય તેવા) છે. આથી અંતરાયવાળી બહેનથી સ્પર્ધાયેલાં પૂજાનાં વસ્ત્રો ધોવાથી શુદ્ધ થઈ શકે નહિ. એથી ધોયેલાં પણ વસ્ત્રોથી પૂજા થઈ શકે નહિ.
શંકા- ૧૦૦૯. રોજ વાપરવાનાં શુદ્ધ વસ્ત્રો પહેરીને બહાર જવાનું થાય ત્યારે કોઈક અપવિત્ર સ્ત્રી વગેરેનો સ્પર્શ થઈ જવાનો સંભવ રહે છે. બહારથી આવ્યા પછી એ જ વસ્ત્રોથી સામાયિક કરી શકાય કે શુદ્ધ કરવા પડે ?
સમાધાન- વસ્ત્રોને અપવિત્ર સ્ત્રી વગેરેનો સીધો સ્પર્શ થયો હોય તો શુદ્ધ કરવા જોઈએ.
શંકા- ૧૦૧૦. ઋતુવતી સ્ત્રીએ બનાવેલી રસોઈ વાપરનાર પૂજા કરી શકે ?
સમાધાન- ઋતુવંતી સ્ત્રીથી રસોઈ કરી શકાય નહિ. તેથી તેણે બનાવેલી રસોઈ વાપરવાની વાત જ રહેતી નથી. ઋતુવંતી સ્ત્રીથી ઋતુકાળ દરમિયાન ઘરનાં કોઈ કામ ન કરી શકાય અને ઘરની કોઈ વસ્તુને અડકી ન શકાય. આમ છતાં કોઈ કારણસર ઋતુવંતી સ્ત્રીએ બનાવેલી રસોઈ ખાવી પડી હોય તો પણ સ્નાન કર્યા પછી પૂજા થઈ શકે છે તથા સામાયિક વગેરે સર્વ ધર્મક્રિયાઓ થઈ શકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org