________________
શંકા-સમાધાન
૪૫૯
નથી તેમને એના માટે શુદ્ધિરૂપે સ્નાન પણ જરૂરી નથી તો પછી સ્નાન બાદ તો અશુદ્ધિનો સવાલ જ રહેતો નથી.
શંકા- ૧૦૦૪. ગામમાં મરણ થતાં (ઘરમાં નહિ) સ્મશાનમાં ગયા પછી મડદાને અડ્યા ન હોય તો સ્નાન કરવું જરૂરી ગણાય? દેરાસરમાં દર્શને જવાય કે નહિ ?
સમાધાન–સ્નાન કર્યા વિના પણ પ્રભુ દર્શન કરવામાં વાંધો નથી.
એમ.સી. સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૦૫. સ્ત્રીઓનાં વસ્ત્રો ખરીદતાં પહેલાં અનેક અપવિત્ર સ્ત્રીઓ વગેરેથી સ્પર્ધાયેલા હોય એ સંભવિત છે. તો આવાં વસ્ત્રોથી પૂજા કરવામાં શુદ્ધિ કેવી રીતે રહે ?
સમાધાન– ખરીદતાં પહેલાં અપવિત્ર સ્ત્રી વગેરેથી સ્પર્શ ટાળવાનું અશક્ય છે તેથી તે ચલાવી લેવું પડે પણ પોતાની પાસે આવ્યા પછી વસ્ત્રોની શુદ્ધિ રહેવી જોઈએ.
શંકા- ૧૦૦૬. અપવિત્ર સ્ત્રીનો સંઘટ્ટો કરનાર વ્યક્તિ દેરાસરમાં આવી હોય અને તેનો સંઘટ્ટો પૂજાના શુદ્ધ વસ્ત્રોવાળાને થઈ જાય તો આવા સંયોગોમાં વસ્ત્રની શુદ્ધિ કેવી રીતે રાખી શકાય?
સમાધાન– પૂજાના શુદ્ધ વસ્ત્રોવાળાએ પૂજાના શુદ્ધ વસ્ત્રોવાળી વ્યક્તિ સિવાય બીજી કોઇપણ વ્યક્તિનો સંપર્શ ન થઈ જાય તેની અત્યંત કાળજી રાખવી જોઇએ. આમ છતાં અન્ય કોઈ વ્યક્તિનો પૂજાના કપડાની સાથે સંઘટ્ટો થઈ જાય તો તે કપડા પાણીથી ધોઇ નાખવાથી અશુદ્ધિ દૂર થઈ જાય. પછી તે વસ્ત્રો પૂજામાં વાપરી શકાય.
શંકા- ૧૦૦૭. ટ્રેન વગેરેમાં તીર્થયાત્રા માટે જવાનું થાય, સાથે પૂજાના કપડાં હોય, આ વખતે અપવિત્ર સ્ત્રી વગેરેનો સંઘટ્ટો થવાની સંભાવના છે. આવા સંયોગોમાં વસ્ત્રની શુદ્ધિ કેવી રીતે રાખવી ?
સમાધાન- ટ્રેન વગેરેમાં તીર્થયાત્રા માટે જવાનું થાય, પૂજાનાં વસ્ત્રો થેલીમાં કે પેટીમાં હોય. આથી અપવિત્ર સ્ત્રી વગેરેનો સ્પર્શ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org