________________
શંકા-સમાધાન
છતાં ય સ્વર્ગવાસને પામ્યા એમ હજી બોલાય. પણ અરિહંતશરણ પામ્યા એમ ન બોલાય-ન લખાય.
શંકા— ૧૦૦૨. મા-બાપ વગેરેના મૃત્યુ નિમિત્તે જૈનોમાં રડવાની પ્રથા બંધ થતી જાય છે, તેના લાભ-નુકસાન હોય તો તે પણ જણાવવા વિનંતી છે. પૂર્વે મા-બાપ વગેરે સ્વજનોના મૃત્યુ બાદ જૈન પરિવારોમાં લાંબા કાળ સુધી જે દુ:ખ-દર્દ જોવા મળતાં હતાં, તે આજે ખાસ જોવા મળતાં નથી. એમાં કારણ શું હોઇ શકે ?
૪૫૭
સમાધાન– અહીં માનસશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ વિચારણા કરવી જરૂરી છે. માનસશાસ્ત્રનો આ નિયમ છે કે માણસને અન્ય વ્યક્તિ પ્રત્યે આત્મીયભાવ-મમતાભાવ જેટલા અંશે વધારે તેટલા અંશે માણસને મૃત્યુથી અન્ય વ્યક્તિનો વિયોગ થાય ત્યારે દુઃખ વધારે. વ્યક્તિના વિયોગમાં દુ:ખનું કારણ મમતા-આત્મીયભાવ છે. માટે અધ્યાત્મશાસ્ત્ર કહે છે કે અન્યનો વિયોગ દુઃખનું કારણ નથી, કિન્તુ અન્ય વ્યક્તિ પ્રત્યે રહેલી મમતા દુ:ખનું કારણ છે.
અધ્યાત્મશાસ્ત્ર કહે છે કે મમતા-અન્ય માણસો પ્રત્યે મારાપણાની બુદ્ધિ દુઃખનું કારણ છે. મમતા દુઃખનું કારણ છે એનાં અનેક કારણો છે. તેમાં એક કારણ છે વિયોગમાં દુઃખ. જેના પ્રત્યે જેટલા અંશે મમતા વધારે તેટલા અંશે તેના વિયોગમાં દુઃખ વધારે. અધ્યાત્મદૃષ્ટિએ આ દુઃખ એક પ્રકારનું આર્તધ્યાન છે. આર્તધ્યાન અશુભ કર્મબંધનું કારણ છે. અશુભ કર્મબંધથી ભવિષ્યમાં દુ:ખ આવે છે, માટે અધ્યાત્મશાસ્ત્ર કહે છે કે અન્ય વ્યક્તિના વિયોગમાં દુઃખ ન થાય એ માટે અન્યત્વભાવના વગેરેના ચિંતનથી શરીર વગેરે સર્વ વસ્તુ ઉ૫૨થી મમતાભાવને હટાવી લો. આ રીતે વિવેકપૂર્વક જેને સ્વજનો પ્રત્યે મમતા રહેતી નથી તેને સ્વજનના વિયોગમાં જરાય દુ:ખ થતું નથી. સ્વજનનો વિયોગ થાય ત્યારે શોક કરવો, રડવું વગેરે રીતે દુઃખની અભિવ્યક્તિ કરવી એ આર્તધ્યાન છે. જેનો સ્વજનો ઉ૫૨થી મમતાભાવ હટી જાય છે તેને સ્વજનનો વિયોગ થાય ત્યારે દુઃખ થતું નથી. આથી તે શોક કરવો, રડવું વગેરે રીતે
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International