________________
શંકા-સમાધાન
૪૫૫
મૃતક સંબંધી શંકા-સમાધાન શંકા– ૧000. હમણાં હમણાં મોટા શહેરોમાં ક્યાંક ક્યાંક જૈન પરિવારોમાં મૃતકને રાત્રે બાળવા લઈ જવાની પ્રવૃત્તિ દેખાય છે તે ઉચિત છે ?
સમાધાન- જયણાની અપેક્ષાએ આ પ્રવૃત્તિ ઉચિત નથી. હિંસાના કારણે જેમ રાત્રે ભોજન ન કરાય તેમ મૃતકને પણ રાત્રે અગ્નિદાહ ન અપાય.
શંકા- ૧૦૦૧. મૃતકને લઈ જતી વખતે જૈનેતરોના આંધળા અનુકરણ રૂપે જૈનોમાં “જય જિનેન્દ્ર” કે “અરિહંત નામ સત્ય છે વગેરે જેને જે ઠીક લાગે તે બોલવાનું શરૂ થયું છે તે ઉચિત છે? “જય જિનેન્દ્ર વગેરે બોલવાના સમર્થનમાં સાધુ-સાધ્વીના મૃતક લઈ જતી વખતે “જય જય નંદા !” “જય જય ભદ્દા !' બોલાય જ છે ને ? એવી દલીલ કરવામાં આવે છે, તે યોગ્ય છે? વસતિમાં સાધુસાધ્વીના મૃતકની હાજરીમાં પ્રતિક્રમણ મનમાં જ કરાય છે. અપવિત્ર સ્થાનમાં મા-બાપનું નામ પણ ઉચ્ચારાય નહિ એવું પણ સંભળાય છે.
સમાધાન મૃતકને લઈ જતી વખતે “જય જિનેન્દ્ર” કે “અરિહંત નામ સત્ય છે વગેરે ન બોલાય. કારણ કે યોગબિંદુ ગ્રંથમાં લખ્યું છે કે રામપ્રદ નાસ્થાને જ્યાં લોકો મળ-મૂત્રનું વિસર્જન કરતાં હોય તેવા કે બીજા પણ અપવિત્ર સ્થાનમાં માતા-પિતા વગેરે પૂજ્યોનું નામ ન બોલાય. મૃતક હોવાના કારણે ત્યાં અપવિત્રતા હોય છે. આથી “જિનેન્દ્ર કે “અરિહંત' વગેરે નામ ન બોલાય. જિનેન્દ્ર કે “અરિહંત' વગેરે તીર્થંકરદેવના પર્યાયવાચી નામો છે.
જય જય નંદા ! જય જય ભદ્દા ! એમ બોલવામાં કોઈ પૂજયનું નામ નથી. નંદા એટલે સમૃદ્ધિવાન. ભદ્રા એટલે કલ્યાણવાન. હે સમૃદ્ધિવાન ! તમે જય પામો. તે કલ્યાણવાન ! તમે જય પામો. એવો અર્થ છે. લોકાંતિક દેવો તીર્થંકરને દીક્ષા સ્વીકારવાની વિનંતિ કરવા આવે છે ત્યારે તીર્થકરને ઉદ્દેશીને ભક્તિથી આ વાક્યો બોલે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org