________________
શંકા-સમાધાન
૪૫૩
હંસલક્ષણ વસ્ત્ર પહેરાવે છે. તે વસ્ત્ર ચિતામાં બળે છે. તો આમાં હિંસાનો દોષ ન લાગે ?
સમાધાન- સાધુના મૃતકની સાથે ચરવળી-પાત્ર મૂકવાનો શાસ્ત્રીયવિધિ છે. શાસ્ત્રીયવિધિ કરવામાં ચારિત્રના ઉપકરણને બાળવાનો દોષ ન લાગે. વૈષબુદ્ધિથી કે પ્રમાદ આદિથી ચારિત્રના ઉપકરણને બાળવામાં દોષ લાગે. સાધુ મુખ આગળ મુહપત્તિ રાખ્યા વિના બોલે તો દોષ લાગે. પણ વાંદણા આપતી વખતે અહો કાર્ય વગેરે બોલતી વખતે મુખ આગળ મુહપત્તિ ન હોવા છતાં દોષ ન લાગે. કેમકે તેવી શાસ્ત્રીય વિધિ છે. તેમ મૃતકની સાથે ચરવળી-પાત્ર મૂકવાનો વિધિ હોવાથી ચારિત્રના ઉપકરણને બાળવાનો દોષ ન લાગે.
પ્રભુના નિર્વાણ સમયે ઈન્દ્ર મહારાજા પ્રભુને હંસલક્ષણ વસ્ત્ર પહેરાવે છે. ઇત્યાદિ પ્રશ્ન અંગે જણાવવાનું કે આ વિષે શાસ્ત્રમાં હંસલક્ષણ” એવો શબ્દ છે. હંસલક્ષણ શબ્દના જ્ઞાતાધર્મ કથા સૂત્રની ટીકામાં (મેઘકુમારની દીક્ષાના વર્ણનમાં) બે અથ કર્યા છે. (૧) હંસના જેવું અત્યંત સફેદ વસ્ત્ર. (૨) હંસના ચિત્રવાળું વસ્ત્ર. અહીં પહેલા અર્થ પ્રમાણે હિંસાનો પ્રશ્ન જ રહેતો નથી. આથી પહેલો અર્થ સ્વીકારવો એ જ વધુ ઉચિત જણાય છે.
શંકા- ૯૯૨. ઘસાઇને નાના થઈ ગયેલા સુખડના ટુકડા સાધુ આદિના અગ્નિસંસ્કારમાં આપે તો ચાલે ?
સમાધાન– તેની જેટલી કિંમત થાય તેટલી કિંમત જિનમંદિર સાધારણ ખાતામાં જમા કરાવીને સાધુ આદિના અગ્નિસંસ્કારમાં આપી શકાય. તે ટુકડાઓનો વાસક્ષેપ બનાવીને વાસક્ષેપ પૂજામાં પણ ઉપયોગ કરી શકાય.
શંકા- ૯૯૩. કાળધર્મ પામેલા સાધુ મહારાજની પાલખીને ભગવાનની દૃષ્ટિ પડતી હોય તે રીતે દેરાસરના કમ્પાઉન્ડમાં લાવી શકાય ? પડદો ન કરવો પડે ? સમાધાન– પડદો કરવો જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org