________________
૪૫૨
શંકા-સમાધાન
અને દેવલોક પામેલા આચાર્ય ભગવંતની મૂર્તિ પધરાવવામાં આવે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય ?
સમાધાન– આમ કરવામાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય. કારણ કે જિનશાસનમાં જિનમંદિર, જિનમૂર્તિ, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રો છે. એમાં એવો નિયમ છે કે નીચેના ક્ષેત્રની ૨કમ ઉપરના ક્ષેત્રમાં વાપરી શકાય, પણ ઉપરના ક્ષેત્રની ૨કમ નીચેના ક્ષેત્રમાં ન વાપરી શકાય. જેમ કે સાધુ-સાધ્વી ક્ષેત્રની રકમ જિનાગમ વગેરે ક્ષેત્રમાં વાપરી શકાય. પણ શ્રાવકશ્રાવિકા ક્ષેત્રમાં ન વાપરી શકાય તથા અનુકંપામાં પણ ન વાપરી શકાય. આ નિયમ મુજબ આચાર્ય ભગવંત દેવલોક પામે ત્યારે પાલખી, અગ્નિસંસ્કાર વગેરેની બોલીની રકમ હોસ્પિટલ બનાવવામાં ન વાપરી શકાય. એ રકમ તેમના સ્વર્ગવાસ નિમિત્તે યોજાતા જિનભક્તિ સ્વરૂપ મહોત્સવમાં (પ્રભાવના અને સાધર્મિકવાત્સલ્ય સિવાય) વાપરી શકાય તથા એ આચાર્ય ભગવંતની મૂર્તિ કે મંદિર બનાવવામાં, જિનમંદિર નિર્માણ-જીર્ણોદ્ધાર વગેરેમાં વાપરી શકાય. ટૂંકમાં આવું બોલીનું દ્રવ્ય ગુરુમંદિ૨ ખાતાનું હોવાથી ગુરુની મૂર્તિ કે મંદિર ખાતે વાપરી શકાય. એ વાત પણ ગંભીરતાથી વિચારવા જેવી છે કે, અનેક પંચેન્દ્રિય જીવોની હિંસા કર્યા પછી ડૉકટર બની શકાતું હોય, હજારો-લાખો પંચેન્દ્રિય જીવોની હિંસા જેમાં થઇ રહી હોય, તેવી દવાઓ જેમાં વપરાતી હોય, તેવી હોસ્પિટલો બંધાવવામાં કેટલો ધર્મ થાય, તે પણ વિચારણીય છે.
શંકા-૯૯૦. સાધુભગવંતનું મૃતક કેટલા વખત સુધી રાખી શકાય ? સમાધાન– જેમ બને તેમ જલદી અગ્નિસંસ્કાર થાય તેમ કરવું જોઇએ ?
શંકા- ૯૯૧. સાધુના મૃતકની સાથે ચરવળી-પાત્ર મૂકે છે, અને તે અગ્નિમાં બળે છે. તો આમાં ચારિત્રના ઉપકરણને બાળવાનો દોષ ન લાગે ? તથા પ્રભુના નિર્વાણ સમયે ઇન્દ્ર મહારાજ પ્રભુને
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International