SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ શંકા-સમાધાન શંકા- ૯૮૭. જે સ્થળે અગ્નિસંસ્કાર થયા હોય, ત્યાં કેટલા વર્ષ સુધી જિનમંદિરાદિ ન બંધાવી શકાય ? સમાધાન પંચાશક ગ્રંથમાં જિનભવન વિધિ પંચાશકમાં ભૂમિ દ્વારમાં નીચે મુજબ જણાવ્યું છે– દ્રવ્યથી શુદ્ધ અને ભાવથી શુદ્ધ એમ બે પ્રકારે શુદ્ધભૂમિ છે. સદાચારી લોકોને વસવાલાયક પ્રદેશમાં ખીલો, હાડકાં વગેરે અશુભ પદાર્થોથી રહિત ભૂમિ દ્રવ્યથી શુદ્ધ છે. જ્યાં જિનમંદિર બંધાવવાથી અન્ય લોકોને અપ્રીતિ ન થાય તે ભૂમિ ભાવથી શુદ્ધ છે. જિનમંદિરની ભૂમિમાં ખીલો, કોલસા, હાડકાં વગેરે અશુભ વસ્તુરૂપ શલ્ય રહેવાથી અશાંતિ, ધનહાનિ, કાર્યમાં અસફળતા વગેરે દોષો થાય છે. માટે તે દોષો દૂર કરવા શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિશુદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ.” આ પાઠમાં જે સ્થળે અગ્નિસંસ્કાર થયા હોય, ત્યાં અમુક વર્ષ સુધી જિનમંદિર ન બંધાવી શકાય એવી કોઈ વાત નથી. શંકા- ૯૮૮. સાધુ ભગવંતના કાળધર્મ પ્રસંગે બોલાતી ઉછામણીની રકમનો ઉપયોગ શેમાં કરી શકાય ? સમાધાન- આ રકમનો ઉપયોગ કાળધર્મ પામેલા પૂ. આચાર્યદિવાદિનું સ્મારક બનાવવામાં કે તેમના સમાધિમૃત્યુ નિમિત્તે યોજાતા મહોત્સવમાં કરી શકાય. પરંતુ પ્રભાવના કે સાધર્મિક વાત્સલ્યમાં એનો ઉપયોગ ન કરી શકાય. મહોત્સવમાં સંગીતકાર જૈન હોય તો એને આમાંથી ન આપી શકાય. તાત્પર્ય એ છે કે આ રકમ શ્રાવક-શ્રાવિકા વગેરેના ઉપયોગમાં ન આવવી જોઇએ. સ્મારક કે મહોત્સવમાં આવશ્યકતા ન હોય તો આ રકમ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. શંકા- ૯૮૯. આચાર્ય ભગવંત દેવલોક પામે ત્યારે બોલાતી વિવિધ ઉછામણીની જે રકમ થાય, તે રકમમાંથી ખાસ જરૂર હોય ત્યાં હોસ્પિટલ બનાવવામાં આવે અને તે હોસ્પિટલમાં પ્રભુજીની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy