________________
૪૫૦
શંકા-સમાધાન
સમાધાન– ચોમાસીની અઠ્ઠાઈ તો ચૌદસ સુધી જ ગણાય, પણ પૂનમ આરાધ્ય પર્વતિથિ હોવાથી હમણાં ચોમાસીની અઠ્ઠાઈ પૂનમ સુધી ગણાય છે. (એનપ્રશ્ન ઉ.૩ પ્ર.૨૬૮)
કાળધર્મ સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૮૪. સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા કાળધર્મ પામે, ત્યારની તિથિ સ્વર્ગતિથિ ગણાય કે જે દિવસે અગ્નિસંસ્કાર કરે તે તિથિ ગણાય ?
સમાધાન- સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા જયારે કાળધર્મ પામે ત્યારે જે તિથિ હોય તે તિથિ સ્વર્ગારોહણની ગણાય.
શંકા- ૯૮૫. જ્યાં દેરાસર હોય, પ્રતિષ્ઠા થઈ ગઈ હોય, એની અડોઅડ સાધુ મહારાજને અગ્નિદાહ આપી શકાય? દેરાસરથી કેટલે દૂર આપી શકાય ?
સમાધાન- સાધુ મહારાજને અગ્નિદાહ આપવાનું સ્થાન દહેરાસરથી ઓછામાં ઓછું સો ડગલા દૂર હોવું જોઈએ. કારણ કે જયાં હાડકાં વગેરે હોય ત્યાંથી સો ડગલા સુધીમાં શાસ્ત્રમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે. આનો અર્થ એ થયો કે સો ડગલા સુધીની ભૂમિ અપવિત્ર થાય. આથી સો ડગલાની અંદર જયાં સુધી હાડકાં વગેરે પડ્યું હોય, ત્યાં સુધી મંદિરની ભૂમિ પણ અપવિત્ર થઈ. આથી મંદિરથી સો ડગલાની અંદર અગ્નિદાહ આપવાથી મંદિરની ભૂમિને અશુદ્ધ કરી ગણાય. આ એક પ્રકારની જિનાશાતના છે.
શંકા- ૯૮૬. જ્યાં સાધુ મહારાજના અસ્થિ, હાડકાં, રાખ વગેરે હોય, તેની ઉપર દેરાસર-ગુરુમંદિર બંધાવી શકાય? કે આ બધાની સફાઈ કર્યા પછી બંધાવાય ?
સમાધાન- હાડકા વગેરે સાફ કર્યા પછી જ બંધાવાય. કારણ કે શાસ્ત્રમાં જિનમંદિરને શુદ્ધ ભૂમિમાં બાંધવાનું કહ્યું છે. હાડકાં વગેરે પદાર્થોથી રહિત ભૂમિ શુદ્ધ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org