SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૪૪૯ આનાથી નિશ્ચિત થાય છે કે આપણા જેવાથી હવે ન તો ત્રીજ થાય અને ન તો પાંચમ થાય. ભગવાનના ઉપરોક્ત વચન મુજબ ચોથની સંવત્સરીને જ વળગી રહેવું જોઇએ. શંકા- ૯૮૧. પૂર્ણિમા અને અમાસની વૃદ્ધિ હોય ત્યારે પહેલા ઔદિયકી એટલે બીજી પૂનમ અને બીજી અમાસ આરાધવા યોગ્ય આવતી નથી, હવે કોઇ એમ કહે છે કે, આપ પૂજ્ય એટલે શ્રીહીરસૂરિજી મ. પહેલી પૂનમ અને પહેલી અમાસને આરાધવા યોગ્ય જણાવો છો તો આ સંબંધમાં શું છે ? સમાધાન પૂનમ અમાસની વૃદ્ધિ થાય ત્યારે બીજી પૂનમ અમાસ જ આરાધવા યોગ્ય જાણવી. (હીરપ્રશ્ન ત્રીજો પ્રકાશ પ્ર.પ માંથી અક્ષરશઃ ઉદ્ધૃત) વિશેષનોંધ– આ પ્રશ્નોત્તર પર્વતિથિની પણ ક્ષયવૃદ્ધિ થઇ શકે એમ સ્પષ્ટ બતાવે છે. શંકા ૯૮૨. પૂનમનો ક્ષય હોય ત્યારે તેરસનો ક્ષય ન કરતાં પૂનમનો ક્ષય કરવામાં એક દિવસની લીલોતરીનો ત્યાગ વગેરે આરાધના ઓછી થઇ જાય, તેથી તેરસનો ક્ષય કરવામાં આ દોષ ન રહે. , સમાધાન– જેમ ચોમાસી પ્રતિક્રમણની આરાધના પૂનમના બદલે ચૌદશે કરવામાં એક પ્રતિક્રમણ ઘટવા છતાં આચરણાને પ્રમાણ ગણીને ચોમાસી પ્રતિક્રમણની આરાધના ચૌદશે કરવામાં આવે છે, તેમ ‘ક્ષયે પૂર્વી તિથિ...' આ શાસ્ત્રના આધારે પૂનમનો ક્ષય હોય ત્યારે તેની આરાધના ચૌદશના દિવસે કરાય છે. આરાધના ઓછી થાય કે વધારે થાય એ મહત્ત્વનું નથી. કિંતુ આરાધના જિનાજ્ઞા પ્રમાણે થાય છે કે નહિ તે મહત્ત્વનું છે. પૂનમના ક્ષયમાં પૂનમની આરાધના ચૌદશે કરવામાં જિનાજ્ઞાનું પાલન થાય છે. તેથી આરાધના ઓછી થાય તે દોષરૂપ નથી. તેરસનો ક્ષય કરવામાં તો મિથ્યાત્વ વગેરે અનેક મોટા દોષો લાગે છે. શંકા— ૯૮૩. ચોમાસીની અઠ્ઠાઇ ચૌદસ સુધી ગણવી કે પૂનમ સુધી ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy