SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ શંકા-સમાધાન સમાધાન– ભાદરવા સુદ ૫ ની સંવત્સરી ફેરવીને ભાદરવા સુદ ૪ ની કરનારા આચાર્ય શ્રી કાલિકસૂરિજી મહારાજ મહાન શાસન પ્રભાવક હતા અને યુગપ્રધાન હતા. તેઓ કેવા જ્ઞાની હતા તે આપણે તેમના એક પ્રસંગથી જાણીએ. એકવાર ભગવાન શ્રી સીમંધરસ્વામી નિગોદની વ્યાખ્યા કરતા હતા. તે સાંભળી સૌધર્મેન્દ્ર ભગવાનને પ્રશ્ન કર્યો કે, ભગવન્! આજે ભરતક્ષેત્રમાં નિગોદનું આવું વર્ણન કરી શકે તેવા કોઈ શ્રુતજ્ઞાની વિદ્યમાન છે? ભગવાને ઉત્તર આપ્યો કે હા. આચાર્ય શ્રી કાલિકસૂરિ ભરતક્ષેત્રના આચાર્ય છે, જેઓ શ્રુતના બળે નિગોદનું યથાર્થ સ્વરૂપ બતાવી શકે છે. આ સાંભળી સૌધર્મેન્દ્ર આચાર્ય શ્રી કાલિકસૂરિ પાસે આવ્યા. તેમને નિગોદનું સ્વરૂપ પૂછી તેમના શ્રીમુખથી હૂબહૂ વર્ણન સાંભળી ખૂબ ખુશી થયા. પછી પોતાના આગમનની બીજાને ખબર પડે એ માટે ઉપાશ્રયનો દરવાજો બદલી દેવલોકમાં ગયા. આમ તીર્થંકર ભગવાન પણ જેમનું સૂચન કરે અને સૌધર્મેન્દ્ર પણ જેમના જ્ઞાનની પ્રશંસા કરે એવા પ્રખરજ્ઞાની તેઓ હતા. આવા જ્ઞાનીએ જેવું કર્યું હોય તેવું કરવાનો અલ્પ શક્તિવાળા કોઈ આચાર્ય વગેરેને અધિકાર નથી. અલ્પશક્તિવાળા બીજાઓ એ મહાપુરુષનું અનુકરણ કરે તો “લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય.” એ કહેવત ચરિતાર્થ થાય. બીજી વાત. ભગવાનશ્રી મહાવીરના નિર્વાણ બાદ કેટલાક વર્ષે “મારા નિર્વાણ પછી ૯૯૩ વર્ષે સાતવાહન રાજાની વિનંતીથી શ્રીકાલિકાચાર્ય પંચમીની સંવત્સરી સુદ ચોથમાં પ્રવર્તાવશે અને સકલ શ્રીસંઘ તેને માન્ય કરશે” એવા ભગવાનના વચનને યાદ કરીને રાજાની વિનંતીથી, શ્રી કલ્પસૂત્રના “ સે પૂછું તે રા ૩વાયાવિત્તા એ આગમવચન સુદ છઠ્ઠ પ્રવર્તાવવામાં બાધક બનતું હોવાથી સુદ છઠ્ઠ ન કરતાં “અંતરા વિ . ? પૂછું એ વચનના આધારે શ્રી કાલિકાચાર્યે ભાદરવા સુદ ચોથે સંવત્સરી પ્રવર્તાવી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy