SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ४४७ સમાધાન પૂર્વે જયારે જૈન ટીપ્પનક (પંચાંગ) વિદ્યમાન હતું ત્યારે તે ટીપ્પનકના આધારે તિથિઓનો નિર્ણય થતો હતો. જૈન ટીપ્પનકનો વિચ્છેદ થયો, ત્યારથી જૈનેતર ટીપ્પનકના આધારે તિથિઓના દિવસોનો નિર્ણય થાય છે. પૂર્વે “ચંડ શુગંડુ” પંચાંગના આધારે તિથિઓનો નિર્ણય થતો હતો. હવે જન્મભૂમિ પંચાંગના આધારે તિથિઓનો નિર્ણય થાય છે. આથી તે પંચાંગમાં જે તિથિ જે રીતે લખી હોય, તે રીતે લખવામાં કે બોલવામાં આવે છે. આ પંચાંગ પ્રમાણે કલ્યાણક તિથિઓ લખવામાં કે બોલવામાં માત્ર શબ્દનો ભેદ છે, અર્થનો ભેદ નથી. કારણ કે જે દિવસે કલ્યાણક હોય છે તે દિવસે જ તેની આરાધના કરવામાં આવે છે. આથી વર્તમાનમાં પંચાંગમાં જે રીતે કલ્યાણક તિથિઓ લખાય છે, તેમાં ઉસૂત્રતાનો દોષ ન લાગે. અષાઢ વદ ૪ (ગુજરાતી જેઠ વદ ૪) એમ લખવામાં બાળ જીવોને સમજવામાં મુશ્કેલી પડે. એના બદલે જેઠ વદ ૪ (શાસ્ત્ર પ્રમાણે અષાઢ વદ ૪) એમ લખી શકાય. સંઘમાં આ પ્રમાણે લખવાની પ્રવૃત્તિ શરૂ થાય એ ઇચ્છનીય ગણાય. પણ ગુજરાતી પ્રમાણે જ લખે, તો ઉસૂત્રતાનો દોષ ન લાગે. અર્થનો ભેદ થાય તેવું લખવામાં અને બોલવામાં ઉસૂત્રતાનો દોષ લાગે. જેમકે જન્મભૂમિ પંચાંગમાં પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ આવે, ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ લખવામાં કે બોલવામાં ઉસૂત્રતાનો દોષ લાગે. કારણ કે તેમાં અર્થનો ભેદ છે. તેરસની ક્ષય-વૃદ્ધિ નથી છતાં બોલવામાં કે લખવામાં આવે છે. આ અર્થભેદ છે. શંકા- ૯૮૦. સંવત્સરી પર્વની આરાધના પહેલાં પાંચમના દિવસે થતી હતી. પછી આચાર્ય શ્રી કાલિકસૂરિજી મહારાજે ચોથના આરાધના શરૂ કરાવી. પહેલા પાંચમના આરાધના થતી હતી તે શાસ્ત્રાનુસારી હતી કે પાછળથી ચોથની આરાધના શરૂ કરાઈ એ શાસ્ત્રાનુસારી છે? જો બંને શાસ્ત્રાનુસારી હોય તો ભવિષ્યમાં કોઈ ગીતાર્થ ગુરુભગવંત સુદ ત્રીજની આરાધના કોઈ કારણસર શરૂ કરાવે તો તે પણ શાસ્ત્રાનુસારી ગણાશે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy