________________
શંકા-સમાધાન
૪૪૫
શંકા- ૯૭૬. કર્મસત્તા અશુભ કાર્યનું ફળ ઘણા સમય પછી આપે છે. તેના બદલે તે જ વખતે કેમ આપતી નથી ? જેમ કે એક માણસ બીજા માણસને મારી નાખે, તો તેનું ફળ ભવાંતરમાં મળે છે, તેના બદલે તે જ વખતે મળતું હોય તો જગતમાં કેટલા બધા ગુના અટકી જાય?
સમાધાન– કમનો તેવો સ્વભાવ જ છે કે અમુક સમય પછી ફળ આપે. જે વખતે કર્મનો બંધ થાય તે જ વખતે કર્મસિદ્ધાંત પ્રમાણે આ કર્મ ક્યારે ફળ આપશે, તે નિશ્ચિત થઈ જતું હોય છે. જગતમાં પણ કેટલાક કાર્યોનું ફળ તે જ વખતે મળતું નથી, કિંતુ વિલંબથી મળે. એક માણસ બીજા માણસનું ખૂન કરે છે ત્યારે તેનો કોર્ટમાં કેસ થાય છે, પછી ન્યાયાધીશ કેસની પૂરેપૂરી તપાસ કરીને એ માણસ દોષિત સિદ્ધ થાય તો સજા કરે છે. તપાસ કરવામાં ઘણો સમય વીતી જાય છે. આંબાને વાવવાથી તેનું ફળ આજે જ મળતું નથી. જો કર્મસત્તા તરત જ ફળ આપતી હોય, તો પાપ ન કરવાનો ઉપદેશ આપવાની પણ જરૂર ન રહે, પણ મોટા ભાગે કર્મસિદ્ધાંત પ્રમાણે વિલંબથી ફળ મળે છે. ક્યારેક અતિ ઉગ્ર ભાવથી કરેલા પુણ્ય-પાપનું ફળ આ ભવમાં જ મળે છે. પણ આવું કવચિત્ જ બને. મોટા ભાગે તો તેનું ફળ ભવાંતરમાં મળે છે.
શંકા- ૯૭૭. આપણા કર્મથી બીજાની બુદ્ધિ બગડે ખરી ? સમાધાન– હા. આપણા પાપકર્મોના ઉદયથી બીજાની બુદ્ધિ બગડે એવું બની શકે. રામચંદ્રજી ન્યાયી રાજા હતા. આમ છતાં સીતાજીના પાપકર્મોના ઉદયથી રામચંદ્રજી પણ ખોટા લોકવાદમાં તણાઈ ગયા. સીતાજી નિર્દોષ હોવા છતાં તેમને દોષિત માન્યા અને નિર્જન જંગલમાં એકલા મૂકી દેવાનો સારથિને હુકમ કર્યો. આ વખતે લક્ષ્મણજીએ આવું ન કરવા માટે રામચંદ્રજીને ઘણાં ઘણાં વિનવ્યાં, છતાં રામચંદ્રજી ન માન્યા. પૂર્વે ક્યારેય એવું બન્યું નહોતું કે, રામચંદ્રજીએ લક્ષ્મણની સલાહ ન માની હોય. પણ એ અવસરે આવું બન્યું. એમાં મુખ્ય કારણ તરીકે સીતાજીના પાપકર્મોનો ઉદય હતો. આના ઉપરથી આપણે એ બોધ લેવો જોઇએ કે, બીજાઓ આપણને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org