________________
४४४
શંકા-સમાધાન શંકા- ૯૭૪. કર્મસત્તા ખરેખર સક્રિય હોય, તો કોઈ જીવોને ખોટું કામ કરતાં પહેલાં જ કેમ એ રોકતી નહિ હોય ?
સમાધાન– આ જાતનો પ્રશ્ન કર્મસિદ્ધાંતને બરોબર ન સમજવાના કારણે થયો છે. કર્મસિદ્ધાંત પ્રમાણે કમનું કામ જે જીવે જેવાં કર્મો બાંધ્યા હોય, તે જીવને તે પ્રમાણે ફળ આપવાનું છે. ખોટું કામ કરતાં અટકાવવાનું કામ કર્યો ન કરે, કિંતુ જીવે આત્માનું યથાર્થ જ્ઞાન મેળવીને જાતે ખોટા કામથી અટકવાનું છે. જીવ જો ખોટું કામ કરે જ નહિ, તો કર્મ તેને દુઃખી કરે જ નહિ. પ્રશ્નકારને મારી ભલામણ છે કે, સાધુ મહાત્મા પાસે જઈને કર્મસિદ્ધાંતને બરાબર સમજી લેશો તો આ પદાર્થ એકદમ સ્પષ્ટ સમજાઈ જશે.
શંકા- ૯૭૫. વ્યાખ્યાનમાં એવું સાંભળ્યું છે કે કોઈ મનુષ્ય ગર્ભમાં જ મૃત્યુ પામીને નરકમાં કે દેવલોકમાં ઉત્પન્ન થાય. અહીં પ્રશ્ન થાય કે ગર્ભમાં રહેલો જીવ એવું કયું પાપ કે પુણ્ય કરે કે જેથી નરકમાં કે દેવલોકમાં ઉત્પન્ન થાય ?
સમાધાન– શાસ્ત્રમાં દર્શાવ્યા મુજબ કોઈ જીવ ગર્ભજ મનુષ્ય થાય. ગર્ભમાં રહેલા તેને વિશિષ્ટ જ્ઞાન થાય તથા વૈક્રિયલબ્ધિની પ્રાપ્તિ થાય. વળી તે જીવ રાજ્ય આદિની આકાંક્ષાવાળો થાય. ગર્ભમાં જ રહેલો તે પરચક્રનું સૈન્ય ઉપદ્રવ કરી રહ્યું છે ઇત્યાદિ સાંભળીને વૈક્રિયલબ્ધિથી ચતુરંગી સૈન્ય વિકર્વીને એ સૈન્યને પરચક્રના સૈન્યની સાથે લડાઈ કરાવે. આ રીતે મહારૌદ્ર ધ્યાનમાં રહેલો તે નરકનું આયુષ્ય બાંધે, પછી ગર્ભમાં જ રહેલો તે મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થાય.
ગર્ભમાં રહેલો વિશિષ્ટ જ્ઞાનયુક્ત કોઈ જીવ સાધુની કે શ્રાવકની પાસે ધર્મ સાંભળીને ધર્મધ્યાનવાળો થાય. ધર્મધ્યાનને પામેલો તે ગર્ભમાં જ મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય. શાસ્ત્રીય આ વાત ઉપરથી ગર્ભવતી સ્ત્રીએ કેવા વાતાવરણમાં રહેવું જોઇએ અને તેનાં વિચાર-વાણી-વર્તન કેવાં હોવાં જોઈએ તે અંગે બોધપાઠ પણ મળી શકે એમ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org