________________
શંકા-સમાધાન
४४३
આત્મામાં પડ્યા રહે છે. કમ બંધાયા પછી જેટલો કાળ આત્મામાં પડ્યા રહે તેટલા કાળને શાસ્ત્રમાં અબાધાકાળ કહેવામાં આવે છે. અબાધા એટલે પીડાનો(ત્રફળનો) અભાવ. અબાધાનો કાળ તે અબાધાકાળ. હવે એ નિયમ છે કે એક કોડાકોડ સાગરોપમ જેટલો સ્થિતિબંધ થયો હોય તો ઉત્કૃષ્ટથી ૧૦૦ વર્ષ સુધી એ કર્મો ઉદયમાં ન આવે. સો વર્ષ પછી એ કમોં ઉદયમાં આવે. જેમ કે કોઈ જીવે અસાતા વેદનીય કર્મનો એક કોડાકોડ સાગરોપમ જેટલો સ્થિતિબંધ કર્યો. તો સો વર્ષ સુધી એ કર્મ ઉદયમાં ન આવે. સો વર્ષ પછી એ કમોં ઉદયમાં આવીને જીવને દુઃખ આપે. બે કોડાકોડિ સાગરોપમ જેટલો સ્થિતિ બંધ થયો હોય તો ૨૦૦ વર્ષ બાદ એ કર્મનો ઉદય થાય. આમ દર એક કોડાકોડિ સાગરોપમે સો વર્ષ વધારતાં જવું. શ્રી મહાવીર પ્રભુએ ૧૮મા ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં બાંધેલું અસતાવેદનીય કર્મ મહાવીરના ભવમાં ઉદયમાં આવ્યું.
બંધાયેલાં કમોંનો ઉદય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ એ પાંચ નિમિત્તોને પામીને થાય છે. તે આ પ્રમાણે- કોઇએ અપથ્ય આહાર કર્યો. રોગ થયો. આ કારણે અસાતવેદનીય કર્મનો ઉદય થયો. આ ઉદય અપથ્ય આહાર રૂપ દ્રવ્યને આશ્રયીને થયો. દવા લીધી. રોગ દૂર થયો. સાતાવેદનીયનો ઉદય થયો. આ ઉદય ઔષધરૂપ દ્રવ્યને આશ્રયીને થયો. કોઈ દર્દી સારી હવાવાળા સ્થાનમાં જાય.
ત્યાં થોડા દિવસ રહે તેથી તેને સારું થઈ જાય. આથી તેને સાતાવેદનીય કર્મનો ઉદય થયો. આ ઉદય ક્ષેત્રને આશ્રયીને થયો. દમના દર્દીને શિયાળો આવે એટલે દમનું જોર વધી જાય. આ અસાતાનો ઉદય કાળને આશ્રયીને થયો. કોઈ માણસ ખૂબ ચિંતાતુર રહે. આથી ખોરાકનું પાચન બરોબર ન થાય. તેમાંથી દર્દ થાય. અહીં અસાતાનો ઉદય ચિતારૂપ અશુભ ભાવથી થયો. દેવના ભવમાં શાતાનો જ ઉદય હોય. નરકના ભવમાં અસાતાનો જ ઉદય હોય. આ ઉદય ભવને આશ્રયીને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org