SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ શંકા-સમાધાન પણ હિંસા નહિ, છતાં તંદુલમર્ચી મરીને સાતમી નરકમાં જાય છે. આ તફાવતનું કારણ માનસિક પરિણામ જ છે. પારધિ પક્ષીઓને ચણ નાંખે છે ત્યારે કાયાથી ધર્મનું કામ કરી રહ્યો છે, પણ મનથી તો હિંસા જ કરી રહ્યો છે. આથી તેને પુણ્યબંધ જરાય ન થાય, કેવળ પાપનો જ બંધ થાય. “વિનયરત્ન શિષ્ય કાયાથી અને વચનથી જીવદયા પાળી રહ્યો હતો, પણ માનસિક પરિણામ તો હિંસાના જ હતા. આથી જયારે તે કાયાથી અને વચનથી જીવદયા પાળી રહ્યો હતો ત્યારે પણ તેને પાપનો જ બંધ થતો હતો. અભવ્યો અને દુર્ભવ્યો સંયમ લઈને ઉત્કૃષ્ટપણે ચારિત્રનું પાલન કરે છે. તેથી તેમને પુણ્ય બંધાય છે. પણ એ પુણ્ય પાપના અનુબંધવાળું હોય છે. એમની અહિંસા પણ હિંસાના અનુબંધવાળી હોય છે. કારણ કે મનમાં અહિંસાના પરિણામ નથી. સમ્યગ્દષ્ટિ જીવ જિનપૂજા કરે તેમાં સ્વરૂપહિંસા થતી હોવા છતાં એને પાપકર્મ બહુ અલ્પ બંધાય અને પુણ્યબંધ વધારે થાય. કારણ કે મનમાં હિંસાનો ભાવ નથી. અહીં ધર્મ કરવા માટે થતી હિંસાની વાત કરી. પણ સમ્યગ્દષ્ટિ આત્મા સંસાર માટે પાપની પ્રવૃત્તિ કરે છતાં તેને પાપનો બંધ અલ્પ થાય. આમ પુણ્ય-પાપનું મુખ્ય કારણ મન હોવાથી ત્રણ યોગોમાં મનની જ મુખ્યતા છે. શંકા– ૯૭૩. આગળના ભાવોમાં બાંધેલા સંચિત કર્મો વધુમાં વધુ કેટલામાં ભવ સુધી ઉદયમાં આવે ? શું સંયોગો અનુસાર કર્મ ઉદયમાં આવે છે ? સમાધાન- કર્મનો બંધ થયા પછી એ કમનો ઉદય ક્યારે થાય એનો નિર્ણય સ્થિતિબંધના આધારે થાય. કર્મબંધના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એમ ચાર પ્રકાર છે. તેમાં સ્થિતિબંધ એટલે બંધાયેલા કર્મો આત્માને કેટલા કાળ સુધી પોતાનું ફળ આપે તેનો નિર્ણય, આ સ્થિતિબંધ જેમ જેમ વધારે તેમ તેમ કર્મો મોડા ઉદયમાં આવે અને સ્થિતિબંધ જેમ જેમ ઓછો તેમ તેમ વહેલા ઉદયમાં આવે. કર્મો બંધાયા પછી અમુક વખત સુધી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy