________________
४४०
શંકા-સમાધાન
શંકા- ૯૭૧. સહુ પાત્રોના આયુષ્ય, નામ, ગોત્ર કમોના બંધન વિવિધ પ્રકારના તીવ્ર કે મંદ હોય, એ રીતે જોતાં એ(=બીજા ભવમાં સાથે ભેગા થવું એ) કર્મની ફિલોસોફી સાથે કઈ રીતે બંધ બેસે?
સમાધાન– જૈનદર્શન કોઈ પણ કાર્ય પુરુષાર્થ, કર્મ, કાળ, સ્વભાવ અને ભવિતવ્યતા એ પાંચ કારણોથી થાય એમ માને છે એટલે કેટલાક જીવોની ભવિતવ્યતા એવી હોય છે કે જેથી બધા ભેગા મળીને પુણ્ય અગર પાપ કરે અને બધાયનાં આયુષ્ય વગેરે કર્મો પણ એવાં જ બંધાય કે જેથી ભવાંતરમાં ભેગા થાય. અહીં કર્મો કરતાંય ભવિતવ્યતા મુખ્ય ભાગ ભજવે છે. અનેકાંતવાદી જૈન દર્શનને કોઈ પણ ઘટનાને કર્મની ફિલોસોફી સાથે બંધ બેસતી કરવામાં કોઈ મુંઝવણ અનુભવવી પડતી નથી.
શંકા- ૯૭૨. મન, વચન તથા કાયાથી કર્મ કેવી રીતે બંધાય છે, તેમાં પણ ખાસ કરીને મનથી પાપ કેવી રીતે બંધાય છે, તે સવિસ્તારથી સમજાવવા વિનંતી.
સમાધાન– કાયાથી દેવપૂજા, ગુરુસેવા, દાન વગેરે કરવા દ્વારા જે પુણ્યબંધ થાય તે કાયાથી કર્મબંધ થયો કહેવાય. કાયાથી વેપાર, રસોઈ, મુસાફરી વગેરે દ્વારા થતી હિંસા તથા ચોરી અને અબ્રહ્મસેવન વગેરે પાપથી જે પાપબંધ થાય તે કાયાથી કર્મબંધ થયો કહેવાય. (તું નવરો કેમ બેઠો છે ? સામાયિક-પૌષધ વગેરે કર ઇત્યાદિ બોલવાથી જે પુણ્યબંધ થયો તે વચનથી કર્મબંધ થયો કહેવાય. તું ચોરી કરીને માલ લઈ આવ, તારો માલ હું વેંચી આપીશ ઇત્યાદિ બોલવાથી જે પાપબંધ થાય તે વચનથી કર્મબંધ થયો કહેવાય.) શુભવિચારો કરવા, મૈત્રી વગેરે શુભ ભાવનાઓ ભાવવી ઇત્યાદિથી જે પુણ્યબંધ થાય તે મનથી કર્મબંધ થયો કહેવાય. અશુભ વિચારો કરવાથી જે પાપ બંધાય તે મનથી કર્મબંધ થયો કહેવાય.
મન, વચન અને કાયા એ ત્રણમાં મનની મુખ્યતા છે. કાયાથી અને વચનથી પાપ ન કરવા છતાં કેવળ મનથી પાપ કરીને જીવ દુર્ગતિમાં જાય એવું બને. એ જ રીતે કાયાથી અને વચનથી ધર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org