________________
૪૩૮
શંકા-સમાધાન સમાધાન- સિદ્ધ પરમાત્મા તો કર્મરહિત છે. અરિહંત પરમાત્મા ચાર અઘાતી કર્મોથી યુક્ત હોવા છતાં જીવના પરમાત્મા સાથેના સંબંધમાં પરમાત્માનું કર્મ કારણ નથી, કારણ કે સિદ્ધ પરમાત્મા સાથે થતા જીવના સંબંધમાં સિદ્ધ પરમાત્મા કર્મરહિત હોવાથી આ નિયમ રહેતો નથી.
પરમાર્થથી જીવના પરમાત્માની સાથે થતા સંબંધમાં પરમાત્માની આજ્ઞા મુખ્ય કારણ છે. પરમાત્માની આજ્ઞાને માન્યા વિના જીવનો પરમાત્માની સાથે સાચો સંબંધ થતો જ નથી. પરમાત્માની આજ્ઞાની સાથે સંબંધ થાય ત્યારે જ જીવનો પરમાત્મા સાથે સાચો સંબંધ થાય છે. હવે એ પ્રશ્ન થાય કે પરમાત્માની આજ્ઞાની સાથે સંબંધ કયા કારણોથી થાય ? જીવને પરમાત્માની આજ્ઞાની સાથે સંબંધ થવામાં સ્વભાવ, નિયતિ(=ભવિતવ્યતા) કાલ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ કારણો છે. સર્વ પ્રથમ જીવનો સ્વભાવ કારણ છે. અહીં સ્વભાવ એટલે સ્વરૂપ. જે જીવનો ભવ્યત્વ સ્વભાવ હોય, અર્થાત્ જે જીવ ભવ્ય હોય તે જ જીવનો પરમાત્માની આજ્ઞા સાથે સંબંધ થાય. અભવ્ય જીવનો પરમાત્માની આજ્ઞાન સાથે સંબંધ ન થાય. નિગોદ વગેરેમાં રહેલા ભવ્ય જીવનો પણ પરમાત્માની આજ્ઞાની સાથે સંબંધ ન થાય. નિયતિથી જીવ નિગોદ વગેરેમાંથી બહાર નીકળે છે. નિયતિથી નિગોદ વગેરેમાંથી બહાર નીકળ્યા પછી પણ જીવ જ્યાં સુધી ચરમાવર્તમાં ન આવે ત્યાં સુધી જીવનો પરમાત્માની આજ્ઞા સાથે સંબંધ ન થાય. ચરમાવર્તમાં આવ્યા પછી પણ જ્યાં સુધી કર્મલઘુતા અને પુણ્યોદય ન થાય ત્યાં સુધી જીવનો પરમાત્માની આજ્ઞા સાથે સંબંધ થતો નથી. કર્મલઘુતા અને પુણ્યોદય થયા પછી પણ જીવ ગ્રંથિભેદ કરવા(=સમ્યક્ત્વ પામવા) માટે પુરુષાર્થ ન કરે
ત્યાં સુધી જીવનો પરમાત્માની આજ્ઞા સાથે સંબંધ ન થાય. આમ પરમાત્માની આજ્ઞા સાથે સંબંધ થવામાં સ્વભાવ, નિયતિ, કાળ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ કારણો છે. આથી પરમાત્માની સાથે સંબંધ થવામાં પણ આ પાંચ કારણો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org