________________
૪૩૬
શંકા-સમાધાન
પરથી ભારત દેશ નામ પડ્યું છે. એટલે ૩૨,૦૦૦ દેશો ભારતમાં ગણાય, એ દેશોના નામો વાંચવામાં આવતા નથી પણ સાડા પચ્ચીસ આર્ય દેશો વાંચવામાં આવે છે.
દક્ષિણ તરફના ત્રણ ખંડના વચલા ખંડની મધ્યમાં તીર્થંકર આદિ મહાપુરુષોનો જન્મ થાય છે અને આ મધ્યખંડમાં સાડા પચ્ચીસ આર્યદેશો આવેલા છે અને ધર્મ પણ આ સાડા પચ્ચીસ દેશોમાં જ હોય છે. બાકીના પાંચે ખંડના બધા દેશો મળીને ૩૧૯૭૪ દેશો અનાર્ય છે, આમ એક ભરતક્ષેત્રના ૬ ખંડોમાં કુલ ૩૨,૦૦૦ દેશો હોય છે.
શંકા- ૯૬૬. મનુષ્ય સમ્યક્ત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય બાંધી શકે ? કે માત્ર વૈમાનિક દેવલોકનું જ બાંધે ? કર્મગ્રંથ તથા સિદ્ધાંતના મતમાં કાંઇ ભેદ છે કે કેમ ?
સમાધાન– મનુષ્ય સમ્યક્ત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય ન બાંધી શકે, વૈમાનિકનું બાંધે. આમ છતાં સમ્યક્ત્વ મલિન બન્યું હોય, એવી સ્થિતિમાં જ્યોતિષાદિનું આયુષ્ય બંધાઇ શકે એમ જાણવામાં આવ્યું છે. સમ્યક્ત્વની હાજરીમાં આયુષ્ય બાંધવા અંગે કાર્મગ્રંથિક અને સૈદ્ધાંતિક મતભેદ જાણવામાં આવ્યો નથી.
શંકા- ૯૬૭. ચક્રવર્તીને દેશવિરતિ હોય કે નહિ ? સરસ્વતી દેવી બ્રહ્મચર્યને ધારણ કરનારી હોય કે નહિ ?
સમાધાન– ચક્રવર્તીને અને તીર્થંકરોને દેશવિરતિ ન હોય. સરસ્વતી દેવી ક્ષેત્રસમાસ આદિ ગ્રંથના આધારે વ્યંતરેન્દ્ર ગીતરતિની અગ્ર મહિષી છે એમ જણાય છે તેથી તે બ્રહ્મચર્યને ધારણ કરનારી નથી.
કર્મ સંબંધી શંકા-સમાધાન
શંકા- ૯૬૮. આત્મમુક્તિ માટે નિર્જરાથી અશુભ કર્મ ખપાવી શકાય છે. તે જ રીતે શુભ કર્મ (ઉદયમાં ન આવ્યા હોય તે પહેલાં) કઇ રીતે ખપાવી શકાય
?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org