SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૪૩૫ શંકા- ૯૬૨. દંડક પ્રકરણમાં બધા યુગલિકોને સમચતુરગ્ન સંસ્થાન બતાવ્યું છે, તો એમને કયું સંઘયણ હોય ? સમાધાન- યુગલિકોને પહેલું સંઘયણ હોય. (દ્રવ્યલોક પ્રકાશ, સર્ગ-૭, ગાથા-૧૦૬). શંકા– ૯૬૩. પશુ-પંખીને કર્યું સંઘયણ હોય ? સમાધાન– બૃહસંઘયણી ૧૬૧મી ગાથામાં જણાવ્યા પ્રમાણે ગર્ભજ તિર્યંચોમાં છ સંઘયણ હોય છે. એથી પશુ-પક્ષીઓમાં યથાસંભવ છએ સંઘયણ હોઈ શકે છે. શંકા- ૯૬૪. ભાષાસમિતિ અને વચનગુમિમાં શો ફેર છે તે જણાવશો ? સમાધાન- સ્વ-પરને હિતકારી અને પ્રમાણોપેત આદિ ગુણોથી યુક્ત વચનો બોલવા તે ભાષાસમિતિ છે. મૌન રહેવું અથવા સ્વપરને હિતકારી અને પ્રમાણોપેત આદિ ગુણોથી યુક્ત વચનો બોલવા તે વચનગુપ્તિ છે. ભાષાસમિતિની અને વચનગુપ્તિની આ વ્યાખ્યાથી સમજી શકાશે કે ભાષાસમિતિ કેવળ પ્રવૃત્તિરૂપ છે અને વચનગુમિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એમ ઉભય સ્વરૂપ છે. આથી જે જે જીવ ભાષા સમિતિવાળો હોય તે નિયમા વચનગુપ્તિવાળો હોય, પણ વચનગુપ્તિવાળો ભાષાસમિતિવાળો હોય કે ન પણ હોય. જીવ જ્યારે મૌન હોય ત્યારે વચનગુપ્તિવાળો છે, પણ ભાષાસમિતિવાળો નથી. જીવ જ્યારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ બોલતો હોય ત્યારે વચનગુપ્તિવાળો છે અને ભાષાસમિતિવાળો પણ છે. આમ વચનગુપ્તિમાં ભાષાસમિતિનો સમાવેશ થઈ જાય છે. આમ છતાં બાળ જીવોને વિશેષ બોધ થાય એ હેતુને લક્ષ્યમાં રાખીને ભાષાસમિતિને અલગ બતાવી છે. શંકા- ૯૬૫. ૩૨,૦૦૦ દેશો કેવી રીતે ગણાય ? ભારત એક દેશ ગણાય ? સમાધાન- ભરતક્ષેત્રના ૬ ખંડ છે, તેમાં ૩૨,૦૦૦ દેશો આવેલા છે. પૂર્વે ભરતક્ષેત્રમાં સર્વપ્રથમ ભરત ચક્રવર્તી થયા તેના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy