________________
४३४
શંકા-સમાધાન
પ્રશ્ન- જિનેશ્વર ભગવાને શું કહ્યું છે ?
ઉત્તર– (૧) પરલોક છે. દરેક જીવ પોતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખ-દુઃખ અનુભવે છે. (૨) સંસાર દુઃખરૂપ છે. સંસારનું સુખ પણ ક્ષણિક અને પરિણામે દુઃખ આપનારું છે. આથી સંસારમાં સાચું સુખ નથી. સાચું સુખ મોક્ષમાં જ છે. (૩) મોક્ષ મેળવવા શુદ્ધ પ્રવૃત્તિ કરવી જોઈએ, એટલે કે જિનોક્ત પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરીને ત્યાગમય જીવન જીવવું જોઇએ, અર્થાત્ ચારિત્રનું પાલન કરવું જોઇએ.
જિનેશ્વર ભગવાને મુખ્યતયા આ ત્રણ બાબતો કહી છે. બીજું જે કંઈ કહ્યું છે તે બધું આ ત્રણ બાબતોને અનુસરીને જ કહ્યું છે.
મોટાભાગના જીવો આ ત્રણ બાબતોને માનતા નથી. કેટલાક જીવો પરલોક છે, જીવો પોતપોતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુઃખ અનુભવે છે, એ બાબતને માને છે, પણ બીજી બે બાબતોનો સ્વીકાર કરતા નથી. કેટલાક જીવો પહેલી બાબત ઉપરાંત સંસાર દુઃખરૂપ છે, મોક્ષમાં જ સાચું સુખ છે એ બીજી બાબતને પણ માને છે. પણ ત્રીજી બાબતને માનતા નથી. આ ત્રણેય બાબતોને જે માને તે જ “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” એવું માનનારો છે. આવી શુદ્ધ માન્યતાને ધરાવનાર જીવને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે શુદ્ધ પ્રવૃત્તિ કરનારો બને છે.
આ રીતે શુદ્ધ માન્યતાપૂર્વક શુદ્ધ પ્રવૃત્તિ કરનાર જીવ થોડા જ કાળમાં અવશ્ય મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરે છે.
આ રીતે સંક્ષેપમાં મોહનીય કર્મનું અહીં વર્ણન કર્યું છે. મોહનીય કર્મનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે તો એક મોટું પુસ્તક થાય. શંકા- ૯૬૧. ગ્રંથિભેદ કરવા શું કરવું પડે ?
સમાધાન- જિનપૂજા-જિનવાણીશ્રવણ-ચારશરણસ્વીકારદુષ્કૃતગર્તા-સુકૃતાનુમોદના-ગુરુવંદના-સુપાત્રદાન-વેયાવચ્ચ આદિ ધર્માનુષ્ઠાન કરવાથી અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થાય છે. પછી ગ્રંથિભેદ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org