SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ४३४ શંકા-સમાધાન પ્રશ્ન- જિનેશ્વર ભગવાને શું કહ્યું છે ? ઉત્તર– (૧) પરલોક છે. દરેક જીવ પોતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખ-દુઃખ અનુભવે છે. (૨) સંસાર દુઃખરૂપ છે. સંસારનું સુખ પણ ક્ષણિક અને પરિણામે દુઃખ આપનારું છે. આથી સંસારમાં સાચું સુખ નથી. સાચું સુખ મોક્ષમાં જ છે. (૩) મોક્ષ મેળવવા શુદ્ધ પ્રવૃત્તિ કરવી જોઈએ, એટલે કે જિનોક્ત પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરીને ત્યાગમય જીવન જીવવું જોઇએ, અર્થાત્ ચારિત્રનું પાલન કરવું જોઇએ. જિનેશ્વર ભગવાને મુખ્યતયા આ ત્રણ બાબતો કહી છે. બીજું જે કંઈ કહ્યું છે તે બધું આ ત્રણ બાબતોને અનુસરીને જ કહ્યું છે. મોટાભાગના જીવો આ ત્રણ બાબતોને માનતા નથી. કેટલાક જીવો પરલોક છે, જીવો પોતપોતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુઃખ અનુભવે છે, એ બાબતને માને છે, પણ બીજી બે બાબતોનો સ્વીકાર કરતા નથી. કેટલાક જીવો પહેલી બાબત ઉપરાંત સંસાર દુઃખરૂપ છે, મોક્ષમાં જ સાચું સુખ છે એ બીજી બાબતને પણ માને છે. પણ ત્રીજી બાબતને માનતા નથી. આ ત્રણેય બાબતોને જે માને તે જ “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” એવું માનનારો છે. આવી શુદ્ધ માન્યતાને ધરાવનાર જીવને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે શુદ્ધ પ્રવૃત્તિ કરનારો બને છે. આ રીતે શુદ્ધ માન્યતાપૂર્વક શુદ્ધ પ્રવૃત્તિ કરનાર જીવ થોડા જ કાળમાં અવશ્ય મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરે છે. આ રીતે સંક્ષેપમાં મોહનીય કર્મનું અહીં વર્ણન કર્યું છે. મોહનીય કર્મનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે તો એક મોટું પુસ્તક થાય. શંકા- ૯૬૧. ગ્રંથિભેદ કરવા શું કરવું પડે ? સમાધાન- જિનપૂજા-જિનવાણીશ્રવણ-ચારશરણસ્વીકારદુષ્કૃતગર્તા-સુકૃતાનુમોદના-ગુરુવંદના-સુપાત્રદાન-વેયાવચ્ચ આદિ ધર્માનુષ્ઠાન કરવાથી અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થાય છે. પછી ગ્રંથિભેદ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy