SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ શંકા-સમાધાન પુણ્યાનુબંધી પુણ્યના ભોગવટામાં ભેદ હોય છે. એથી જ ચારિત્રમોહના ક્ષયોપશમમાં કે ક્ષયભાવમાં પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને ચારિત્રના અભાવનું કારણ ન મનાય. શંકા- ૯૫૯. પુણ્યાનુબંધી પાપ વિશે દષ્ટાંત સહિત વિસ્તારથી સમજાવવા વિનંતી. સમાધાન– યોગથી બંધ થાય અને ઉપયોગથી અનુબંધ થાય. મનવચન-કાયાની પ્રવૃત્તિ યોગ છે, અર્થાત્ માનસિક વિચારો કરવા, જીભથી બોલવું અને કાયાથી પ્રવૃત્તિ કરવી તે યોગ છે. ઉપયોગ એટલે યોગની પાછળનો ઉદ્દેશ-લક્ષ્ય. પાપસંબંધી યોગ અશુભયોગ છે. ધર્મસંબંધી યોગ શુભયોગ છે. ધર્મક્રિયાથી ભૌતિક સુખની પ્રાપ્તિ વગેરે આશય અશુદ્ધ ઉપયોગ છે. ધર્મક્રિયાથી મોક્ષપ્રાપ્તિનો આશય શુદ્ધ ઉપયોગ છે. મોક્ષપ્રાપ્તિનો આશય ન હોય તો પણ જો ભૌતિક સુખની આશંસા આદિ અશુભ આશય ન હોય અને કેવળ દયા, દાન, પરોપકાર આદિ શુભભાવ હોય તો પણ શુદ્ધ ઉપયોગ છે. જેમકે મેઘકુમારના જીવ હાથીમાં મુક્તિની ઇચ્છા ન હોવા છતાં સસલાના રક્ષણમાં દયાભાવ હોવાથી શુદ્ધ ઉપયોગ હતો. અહીં યોગ અને ઉપયોગને આશ્રયીને ચાર પ્રકાર થાય. તે આ પ્રમાણે (૧) શુભયોગ અને શુદ્ધ ઉપયોગ. (૨) શુભયોગ અને અશુદ્ધ ઉપયોગ. (૩) અશુભયોગ અને શુદ્ધ ઉપયોગ. (૪) અશુભયોગ અને અશુદ્ધ ઉપયોગ. આ ચાર ભાંગાના કારણે બંધાતા પુણ્ય-પાપમાં પણ ચાર પ્રકાર થાય. તે આ પ્રમાણે- (૧) પુણ્યાનુબંધી પુણ્ય. (૨) પાપાનુબંધી પુણ્ય. (૩) પુણ્યાનુબંધી પાપ. (૪) પાપાનુબંધી પાપ. (૧) જયારે શુભયોગ અને શુદ્ધ ઉપયોગ હોય ત્યારે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય. અહીં યોગ શુભ છે માટે પુણ્યનો બંધ થાય અને ઉપયોગ શુદ્ધ હોવાથી અનુબંધ પણ પુણ્યનો પડે. જેમકે ભરત મહારાજાએ પૂર્વભવમાં પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કર્યો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy