________________
શંકા-સમાધાન
૪૨૯ પ્રશ્ન- મોક્ષપ્રાપ્તિનું કારણ કર્મસંબંધી સંવર-નિર્જરા દ્વારા ચારિત્ર છે. તો અહીં પુણ્યાનુબંધી પુણ્યને મોક્ષનું કારણ કેમ કહ્યું ?
ઉત્તર– (સમ્યકત્વથી યુક્ત) ચારિત્ર જ મોક્ષનું કારણ હોવા છતાં ઉપચારથી પુણ્યાનુબંધી પુણ્યને મોક્ષનું કારણ કહ્યું. પુણ્યાનુબંધી પુણ્ય ચારિત્રની પ્રાપ્તિ માટે મનુષ્યભવ આદિ સામગ્રી મેળવી આપે છે. આથી ઉપચારથી પુણ્યાનુબંધી પુણ્ય પણ મોક્ષનું કારણ કહેવાય. જેમ કે શાસ્ત્રમાં( પંચસૂત્ર વગેરેમાં) મનુષ્યભવ ભવરૂપ સમુદ્રના પારને પમાડે છે એમ કહેવાયું છે. ચારિત્ર જ ભવરૂપ સમુદ્રના પારને પમાડતું હોવા છતાં મનુષ્યભવ વિના ચારિત્ર ન હોય એથી ઉપચારથી મનુષ્યભવ ભવરૂપ સમુદ્રના પારને પમાડે છે એમ કહેવાયું છે.
શંકા- ૯૫૮. જીવને ચારિત્ર લેવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં ચારિત્ર ન લઈ શકાય. તેનું કારણ ચારિત્રમોહનો(=અવિરતિનો) ઉદય છે કે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે ?
સમાધાન– ચારિત્ર ન લઈ શકવામાં મુખ્યતયા ચારિત્રમોહનો ઉદય કારણ છે અને ગૌણરૂપે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પણ કારણ છે. કારણ કે નિકાચિત પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી ચારિત્રમોહનો ઉદય અવશ્ય હોય છે. તેથી જ જ્યાં સુધી નિકાચિત પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હતો ત્યાં સુધી ભરત મહારાજા ચારિત્રનો
સ્વીકાર ન કરી શક્યા. એ જ રીતે શ્રી ઋષભદેવ ભગવાનને પણ નિકાચિત પુણ્યાનુબંધી પુણ્યના ઉદયના કારણે (ચારિત્રમોહનો ક્ષયોપશમ ન થવાથી) ૮૩ લાખ પૂર્વ સુધી સંસારમાં રહેવું પડ્યું. ચારિત્રમોહ અને પુણ્યાનુબંધી પુણ્ય એ બંને ભિન્ન હોવા છતાં આ રીતે પરસ્પર સંકળાયેલા છે.
અલબત્ત, પુણ્યાનુબંધી પુણ્યના ઉદય વખતે જેમ ચારિત્ર મોહનો ઉદય હોય, તેમ ચારિત્ર મોહનો ક્ષયોપશમ કે ક્ષય પણ હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે જેમ ચારિત્રમોહના ઉદયમાં પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય છે, તેમ ચારિત્રમોહના ક્ષયોપશમભાવમાં કે ક્ષયભાવમાં પણ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય છે. પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org