________________
૪૨૮
શંકા-સમાધાન
નથી. આનો સાર એ છે કે દરેક જીવે બીજાની નિરર્થક ચિંતા છોડીને પોતાના આત્મહિત માટે મુક્તિને સાધવાનો પુરુષાર્થ કરવો જોઇએ.
શંકા– ૯૫૬. અનનુષ્ઠાન કરનારને પાપાનુબંધી પુણ્ય બંધાય કે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય ?
સમાધાન અનનુષ્ઠાન કરનારને અનુબંધરહિત પુણ્ય બંધાય એમ જણાય છે. શંકા- ૯૫૭. પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે કે હેય છે ?
સમાધાન– આ અંગે બંધ અને ઉદય એમ બે રીતે વિચારી શકાય. તેમાં બંધની અપેક્ષાએ વિચારીએ. સમ્યગ્દષ્ટિ વગેરે જીવો પુણ્યબંધ માટે ધર્મ ન કરે, કિંતુ મોક્ષ માટે જ ધર્મ કરે. છતાં તેમને ધર્મમાં જેટલા અંશે શુભયોગ છે તેટલા અંશે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય. કારણ કે જૈનશાસનનો આ નિયમ છે કે જેટલા અંશે યોગ તેટલા અંશે આસ્રવ થાય. તેમાં શુભયોગ પુણ્યનો આસ્રવ છે અને અશુભ યોગ પાપનો આસ્રવ છે. આથી સમ્યગ્દષ્ટિ વગેરે જીવો મોક્ષ માટે જ (અથવા પાપકર્મોના નાશ માટે) ધર્મ કરતા હોવા છતાં તેમને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે.
હવે ઉદયની દષ્ટિએ વિચારીએ; પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય ભોગોમાં તીવ્ર આસક્તિ કરાવતો નથી. આથી જ તે સંસારવર્ધક બનતો નથી અને મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે. આથી જ અષ્ટક પ્રકરણમાં ચોવીસમાં અષ્ટકની પાંચમી ગાથામાં કહ્યું છે કે, “જેના પ્રભાવથી મનુષ્ય-દેવ-મોક્ષ સંબંધી સંપત્તિઓ અવિનશ્વર બને છે તે પુણ્યાનુબંધી પુણ્ય કરવું જોઈએ.”
અહીં પુણ્યાનુબંધી પુણ્ય કરવું જોઈએ એવું વિધાન મોક્ષરૂપ સંપત્તિને આશ્રયીને છે, નહિ કે મનુષ્ય-દેવની સંપત્તિને આશ્રયીને. મનુષ્ય-દેવની સંપત્તિ તો આનુષંગિક રીતે પ્રાપ્ત થઈ જાય છે. આથી પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષપ્રાપ્તિની અપેક્ષાએ ઉપાદેય છે. મનુષ્ય-દેવની સંપત્તિની પ્રાપ્તિની અપેક્ષાએ ઉપાદેય નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org