________________
શંકા-સમાધાન
૪૨૭ જેમ કે, એક માણસ મકાન બનાવે, પણ રસપૂર્વક મકાન ન બનાવે, બીજો માણસ બનેલા એ મકાનની ખૂબ પ્રશંસા-અનુમોદના કરે, તો મકાન બનાવનારને બંધાતા પાપથી એની અનુમોદના કરનારને પાપ વધારે બંધાય. આવું જ ધર્મક્રિયામાં પણ બને.
શંકા- ૯૫૫. મોક્ષમાર્ગ સદા માટે ચાલુ છે. એથી સંસારમાં રહેલા જીવો મોક્ષમાં નિરંતર જાય છે. ક્યારેક અંતર પડે તો પણ છ માસથી વધારે અંતર ન પડે. છ મહિનામાં જીવો વધારે મોક્ષમાં ન જાય તો પણ એક તો અવશ્ય જાય. આથી ક્યારેક સંસાર ખાલી થઈ જાય અને બધા જીવો મોક્ષમાં જતા રહે એવું ન બને ?
સમાધાન- એવું ન બને. નવતત્ત્વની છેલ્લી ગાથામાં કહ્યું છે કે- ગમે ત્યારે જિનેશ્વરને પૂછવામાં આવે કે અત્યાર સુધીમાં મોક્ષમાં કેટલા જીવી ગયા છે? તો એક જ જવાબ મળે કે અત્યાર સુધીમાં એક નિગોદના અનંતમાં ભાગ જેટલા જીવો મોક્ષમાં ગયા છે.
લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા અસંખ્યાત નિગોદના ગોળા છે. એક-એક ગોળામાં અસંખ્યાતી નિગોદો છે. એક-એક નિગોદમાં અનંતા જીવો છે. એક નિગોદમાં કેટલા અનંત જીવો છે એ સમજાવવા શાસ્ત્રમાં લખ્યું છે કે ભૂતકાળ-ભવિષ્યકાળના સર્વ સમયો અને વર્તમાનકાળનો એક સમય, આ બધા સમયોને ભેગા કરીને અનંતગુણા કરીએ. એટલા એક નિગોદમાં અનંતા જીવો છે. માત્ર નિગોદના જીવો આટલા છે. તે સિવાયના પૃથ્વીકાયથી આરંભી તિર્યંચ પંચેન્દ્રિય સુધીના જીવો તો અલગ. આટલા બધા જીવોમાંથી મોક્ષમાં ગયેલા જીવો માત્ર એક નિગોદના અનંતમાં ભાગ જેટલા જ છે. આથી સંસાર ક્યારેય ખાલી થવાનો નથી. આ વિષે વ્યવહારિક દૃષ્ટાંત આ પ્રમાણે છે- જેમ ભૂમિની માટી વરસાદના પાણીથી ઘસડાતી ઘસડાતી સમુદ્રમાં નિરંતર જાય છે, તો પણ સમુદ્ર એ માટીથી પૂરાઈ જતો નથી અને ભૂમિમાં ખાડો પડતો નથી. તેવી રીતે બધા જીવો મુક્તિમાં જતા નથી અને સંસાર ક્યારેય ખાલી થતો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org