________________
૪૨૬
શંકા-સમાધાન
અનુમોદના કરે છે. (૨) બીજાઓએ પણ ભૂતકાળમાં જે પાપો કર્યા હોય અને વર્તમાનમાં જે પાપો કરતા હોય તેની અનુમોદના કરે છે. (૩) પોતાના માટે તૈયાર કરેલા આહાર આદિમાં થયેલા આરંભ-સમારંભની અનુમોદના રહેલી છે.
પ્રતિશ્રવણાનુમતિનો શબ્દાર્થ આ પ્રમાણે છે– પ્રતિશ્રવણ એટલે સાંભળવું. સાંભળવા દ્વારા કરેલી અનુમતિ તે પ્રતિશ્રવણાનુમતિ. આ અનુમતિમાં માત્ર પુત્રાદિએ કરેલા પાપોને સાંભળે, સાંભળીને અનુમોદના કરે. નિષેધ ન કરે. આમાં (૧) પોતાના પાપની અનુમોદના કરતો નથી. (૨) બીજાએ કરેલા પાપોમાં માત્ર પુત્રાદિના પાપની અનુમોદના કરે છે. (૩) પોતાના માટે તૈયાર કરેલા આહાર આદિ વાપરતો નથી. તેથી એની અનુમોદના બંધ થાય છે.
સંવાસાનુમતિનો શબ્દાર્થ આ પ્રમાણે છે- આમાં સંવાસ એટલે રહેવું. સંસારમાં રહેવાના કારણે અનુમતિ તે સંવાસાનુમતિ. આમાં સંસારમાં રહ્યો હોવાના કારણે પાપની અનુમતિ છે.
પહેલી અનુમોદનામાં ત્રણ પ્રકારની અનુમોદના છે. બીજી અનુમોદનામાં માત્ર પુત્રાદિએ જ કરેલા પાપની અનુમોદના છે. ત્રીજી અનુમોદનામાં માત્ર સંસારમાં રહેવાના કારણે અનુમતિ છે.
શંકા- ૯૫૪. કરણ-કરાવણ-અનુમોદનનાં ફળ સરખા કહ્યાં છે એ સાચું છે ?
સમાધાન– આ વાત એકાંતે સાચી નથી. રથકાર, મૃગ અને બલભદ્ર મુનિની જેમ ક્યારેક આ વાત સાચી પણ બને. પણ દરેક વખતે અને દરેક માટે આ નિયમ ન બાંધી શકાય. આપણે એ વાત બરાબર સમજી લેવી જોઈએ કે કોઈ પણ ક્રિયાના ફળનો આધાર આત્માનો પરિણામ છે. એટલે ક્રિયા કરનાર, કરાવનાર અને અનુમોદનારના પરિણામ રથકાર આદિની જેમ એક સરખા રહે તો ફળ સરખું મળે. પણ આવું કવચિત્ બને. પરિણામના આધારે ફળ મળતું હોવાથી એવું પણ બને કે, ક્રિયા કરનાર કરતાં અનુમોદનારના પરિણામ વધી જાય તો કરનાર કરતાં અનુમોદનારને ફળ વધારે મળે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org