________________
૪ ૨૪
શંકા-સમાધાન
સમાધાન આપણે જેવી રીતે આપણા વિચારોને કાગળમાં લખીએ છીએ તેવી રીતે આપણા વિચારો પ્રમાણે આકાશમાં મનોવર્ગણાના પુદ્ગલો ગોઠવાઈ જાય. જેમ કે
ગુજરાતીમાં “પાણી’ એમ લખાય. હિન્દીમાં પાન એમ લખાય. અંગ્રેજીમાં Water એમ લખાય. તેવી રીતે મન:પર્યવજ્ઞાનીઓ માટે તે તે મનોવર્ગણાના પુદ્ગલોના ચોક્કસ જુદા જુદા સંકેત હોય. તે સંકેતોને મન:પર્યવજ્ઞાનીઓ જ જાણી શકે. કોઈ અંગ્રેજીમાં બોલે તો અંગ્રેજીને ન જાણનાર ન સમજી શકે. પણ અંગ્રેજીને જાણનાર સમજી જાય. તેવી રીતે મનોવર્ગણાના પુદ્ગલોના નિશ્ચિત થયેલા સંકેતોને મન:પર્યવજ્ઞાનીઓ જ જાણી શકે. આથી કોઈ પણ ભાષામાં વિચારવામાં આવે તો તે પ્રમાણે આકાશમાં મનોવણાના પુદ્ગલો ગોઠવાઈ જાય. તે પુદ્ગલોને આપણે જે રીતે લખેલો કાગળ વાંચીએ તેમ મન:પર્યવજ્ઞાનીઓ જુએ અને એના આધારે શું ચિંતવ્યું તે જાણી લે.
શંકા- ૯૫૧. શ્રાવકને લાગતાં પાપ અંગેની વિચારણામાં ત્રણ પ્રકારની અનુમતિનો શો અર્થ છે ?
સમાધાન- દેશવિરતિધારી શ્રાવકના જઘન્ય વગેરે અનેક ભેદો છે. તેમાં પ્રતિસેવના અને પ્રતિશ્રવણા અનુમતિને વર્જનારો અને માત્ર સંવાસાનુમતિવાળો શ્રાવક ઉત્કૃષ્ટ દેશવિરતિધારી છે. શાસ્ત્રમાં અનુમતિના પ્રતિસેવના(=ઉપભોગ) અનુમતિ, પ્રતિશ્રવણ અનુમતિ અને સંવાસ અનુમતિ એમ ત્રણ ભેદ છે. તેમાં શ્રાવક જ્યારે પોતે કે બીજાઓએ કરેલા પાપને વખાણે તથા પોતાના માટે સાવદ્ય આરંભથી તૈયાર થયેલા અશન આદિનો ઉપયોગ કરે ત્યારે પ્રતિસેવનાનુમતિ કહેવાય. શ્રાવક જ્યારે પુત્રાદિએ કરેલા પાપને સાંભળે, સાંભળીને અનુમોદના કરે અને નિષેધ ન કરે ત્યારે પ્રતિશ્રવણાનુમતિ કહેવાય. શ્રાવક જ્યારે સાવદ્ય આરંભમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિ ઉપર માત્ર મમતા રાખે, તેમણે કરેલા પાપ વગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org