________________
શંકા-સમાધાન
૪૨૩
છે. અપુનર્બંધક જીવ કોઇ પણ ધર્મમાં હોઇ શકે છે. જૈનધર્મમાં જ હોય એવો નિયમ નથી.
શંકા-૯૪૭. હું ભવ્ય છું કે અભવ્ય છું ? તે કેવી રીતે જાણી શકાય ? સમાધાન– જેને હું ભવ્ય છું કે અભવ્ય છું, એવી શંકા થાય તે નિયમથી ભવ્ય હોય, કેમ કે અભવ્યને તેવી શંકા જ નથી થતી. આ વિગત આચારાંગ અવંત અધ્યયનના પાંચમા ઉદ્દેશાની ટીકામાં છે. શંકા- ૯૪૮. અભવ્યોને વધારેમાં વધારે કેટલું શ્રુત હોય ? સમાધાન– આ વિષે જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા મતો જોવામાં આવે છે. સમયસાર ગા. ૨૭૪ની ટીકામાં આચારાંગ વગેરે અગિયાર અંગો સુધીનું શ્રુત અભવ્યોને હોય એમ જણાવ્યું છે. વિશેષાવશ્યક ગા. ૧૨૧૯ની ટીકામાં પણ તેટલું જ જણાવ્યું છે. ધર્મસંગ્રહ ભાગ પહેલામાં અભવ્યોને કંઇક ન્યૂન દશ પૂર્વ સુધીનું શ્રુત હોય છે એમ જણાવ્યું છે. આત્મપ્રબોધ ગ્રંથમાં “અભવ્યોને નવમા પૂર્વ સુધીનું શ્રુત માત્ર સૂત્રપાઠથી હોય, પણ અર્થથી ન હોય, કેમકે અભવ્યોને પૂર્વધરલબ્ધિ ન હોય” એમ જણાવ્યું છે.
સેનપ્રશ્ન સળંગ નંબર-૬૬૮મા પ્રશ્નના ઉત્તરમાં નીચે પ્રમાણે જણાવ્યું છે- પૂર્વલબ્ધિને આશ્રયીને पूर्वाणि धारयन्तीति શવતુવંશપૂર્વવિવ: આ પ્રકારનું આવશ્યક બૃહત્કૃત્તિનું વચન હોવાથી સંપૂર્ણ દશ પૂર્વધર વગેરે પૂર્વલબ્ધિવાળા હોય એમ નિશ્ચય કરી શકાય છે પણ બીજા નહિ. માટે અભવ્યોને અપૂર્ણ દશ પૂર્વેનું જ્ઞાન હોવા છતાં પણ અન્ય શાસ્ત્રોમાં પૂર્વધરલબ્ધિનો નિષેધ કર્યો છે. તે વ્યાજબી જ છે.
શંકા- ૯૪૯. ગ્રંથિદેશે આવેલો જીવ ગ્રંથિદેશે ક્યાં સુધી રહે ? સમાધાન– ગ્રંથિદેશે આવેલો જીવ ગ્રંથિદેશે સંખ્યાતકાળ કે અસંખ્યાતકાળ સુધી રહે. (ધર્મસંગ્રહ ભા. ૧-બૃહત્કલ્પ ભાગ-૧ ગાથા-૧૦૪)
શંકા ૯૫૦. મનોવર્ગણાના પુદ્ગલો કેવા હોય અને મન:પર્યવજ્ઞાની કેવી રીતે ગ્રહણ કરે ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org