SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૨ શંકા-સમાધાન કોઈના દબાણથી કે દાક્ષિણ્ય આદિથી નહિ, કિંતુ જીવને પોતાને જ તેવો રસ હોય, તેના કારણે થયો હોય. માટે અહીં “સ્વરસથી (સ્વતઃ ઇચ્છાથી) પ્રવર્તતો” એમ કહ્યું.] આવા માર્ગમાં જેનો પ્રવેશ થઈ ગયો હોય છે, અર્થાત્ ઉક્ત પ્રકારનો ક્ષયોપશમ જેનો થઈ ગયો છે, તે માર્ગપતિત છે. જે આવા માર્ગમાં પ્રવેશવાને યોગ્ય (આવો ક્ષયોપશમ થવાને યોગ્ય) ભાવને પામેલો હોય તે માર્ગાભિમુખ છે, અર્થાત્ નજીકના કાળમાં જેનો આવો ક્ષયોપશમ થવાનો હોય તે માર્ગાભિમુખ છે. શંકા- ૯૪૪. માર્ગાનુસારી (જેના ૩૫ ગુણો વર્ણવવામાં આવે છે તે) જીવ ચરમાવર્તમાં આવેલો જ હોય એવો નિયમ ખરો ? સમાધાન– સાચો માર્ગાનુસારી ચરમાવર્તમાં આવેલો જ હોય. શંકા- ૯૪૫. જે અભવ્ય જીવમાં ન્યાયથી ધન મેળવવું વગેરે માર્ગાનુસારીપણાના ગુણો હોય તે અભવ્ય જીવને માર્ગાનુસારી કહેવાય કે નહિ ? સમાધાન- ન કહેવાય. કારણ કે તેનામાં જે સારું દેખાય તે સ્વાર્થમૂલક જ હોય, અર્થાત્ તેના દેખાતા ગુણોમાં પણ સ્વાર્થ જ હોય. શંકા- ૯૪૬. અપુનબંધક કોને કહેવાય ? સમાધાન- પુનબંધક એટલે ફરી બાંધનાર. અપુનબંધક એટલે ફરી ન બાંધનાર. ફરી શું ન બાંધનાર ? આયુષ્ય સિવાયની સાતકમની ઉત્કૃષ્ટ સ્થિતિને ફરી ક્યારે પણ ન બાંધે તે અપુનબંધક, અપુનબંધક શબ્દનો આ શબ્દાર્થ છે. અપુનબંધક જીવને ઓળખવા માટે શાસ્ત્રમાં ત્રણ લક્ષણો બતાવ્યા છે. તે આ પ્રમાણે- (૧) અપુનબંધકજીવ હિંસાદિ પાપ તીવ્રભાવથી( ગાઢ સંક્લિષ્ટ પરિણામથી) ન કરે. (૨) ભયંકર સંસાર ઉપર બહુમાન ન રાખે. (૩) દેશ, કાળ અને અવસ્થાની અપેક્ષાએ દેવ, અતિથિ, માતાપિતા આદિ બધા વિષે ઔચિત્યનું પાલન કરે દેવાદિને અનુરૂપ સેવા ભક્તિ કરે. અપુનબંધક જીવ આગળ જતાં સમ્યગ્દષ્ટિ બને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy